ચોંકાવનારા ખુલાસા : સ્કાર્ફ અને લિપસ્ટીક લીધા હતા,સંસદમાં પ્રશ્નો ન પૂછવાના બદલામાં સાંસદ દ્વારા પૈસાની ઓફર !!!
બોબી બ્રાઉન નામની બ્રાન્ડની લિપસ્ટિક અને આઈ શેડો ખરીદ્યો હતો. તો તેમની પાસે 35 જોડી ફેરાગામો ચંપલની છે

ટીએમસી સાંસદના ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં સનસનીખેજ ઘટસ્ફોટ : મને ચૂંટણી પુરી થાય ત્યાં સુધી ચૂપ રહેવાનું અને અદાણી સાથે પીએમનું નામ ન લેવાનું કહેવામાં આવેલું
નવી દિલ્હી,તા.28
કેશ ફોર કવેરીના વિવાદમાં ઘેરાયેલા ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમના પર લાગેલા આરોપોના જવાબ આપી સ્વીકાર્યું હતું કે તેણે હીરાનંદાની પાસેથી મિત્રતાની દ્દષ્ટિએ સ્કાર્ફ અને લિપસ્ટીક લીધા હતા અને બંગલાના રિનોવેશન માટે મદદ માંગી હતી.
આ દરમિયાન મહુઆએ ચેનલ સાથેની વાતચીતમાં ફરી ગૌતમ અદાણીનું નામ લીધું હતું. સાંસદે અદાણી વિશે દાવો કર્યો હતો કે તેણે સંસદમાં પ્રશ્નો ન પૂછવાના બદલામાં ભાજપના સાંસદ દ્વારા પૈસાની ઓફર કરી હતી.
સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહાદ્રાઈના આરોપોનો ઉલ્લેખ કરતા મોઇત્રાએ કહ્યું, “મારા પાલતુ કૂતરાની કસ્ટડીને લઈને દેહાદ્રાય સાથે મારી લડાઈ છે. કલ્પના કરો કે આ કેટલું હાસ્યાસ્પદ છે. ” ટીએમસી સાંસદે વધુમાં કહ્યું – મારા પર આરોપ મૂકવામાં આવ્યો હતો. હું મોંઘા ચંપલ પહેરું છું. તમે જાણતા જ હશો કે, હું એક બેંકર હતી. મારી પાસે 35 જોડી ફેરાગામો ચંપલની છે. હું ફેરાગામો ત્યારતી પહેરું છું કારણ કે તેને (જય દેહાદ્રાય) ખબર નહોતી કે તેનો સ્પેલિંગ શું થાય છે.
સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં હિરાનંદાની પાસેથી ભેટ સ્વીકારવાના આરોપ પર મોઇત્રાએ કહ્યું કે, ચાર વર્ષ પહેલા મારા જન્મદિવસ પર દર્શને એક નજીકના મિત્ર તરીકે મને સ્કાર્ફ ભેટમાં આપ્યો હતો. આ સિવાય તેણે મને બોબી બ્રાઉન નામની બ્રાન્ડની લિપસ્ટિક અને આઈ શેડો ખરીદ્યો હતો.
મહુઆ મોઇત્રાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ગૌતમ અદાણીએ તેમને પ્રશ્નો ન પૂછવા માટે પૈસાની ઓફર કરી હતી. મોઇત્રાએ દાવો કર્યો હતો કે, અદાણીએ છેલ્લા ત્રણ વર્ષમાં લોકસભાના બે સાંસદો દ્વારા તેમની સાથે બેસીને ડીલ કરવા માટે મારો સંપર્ક કર્યો હતો, પરંતુ મેં ના પાડી દીધી હતી. મુદ્દો એ છે કે તે પ્રશ્નો ન પૂછવા માટે રોકડ આપી રહ્યા હતા.
મોઇત્રાએ વધુમાં કહ્યું- ગયા અઠવાડિયે તેનો ફરી સંપર્ક કરવામાં આવ્યો અને ચૂપ રહેવા માટે કહેવામાં આવ્યું. સાંસદે કહ્યું- મને તેને જલ્દી ખતમ કરવાનો મેસેજ મળ્યો. ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી છ મહિના ચૂપ રહો. પછીથી બધું સારું થઈ જશે. અદાણી પર હુમલો કરવો હોય તો કરો પણ પીએમનું નામ ન લો.
આ દરમિયાન, એથિક્સ કમિટીએ કેશ ફોર ક્વેરી કેસમાં તપાસ શરૂ કરી છે. 26 ઓક્ટોબરે એથિક્સ કમિટીએ બપોરે લગભગ 3 કલાક સુધી બેઠક યોજી હતી. સમિતિએ આવકવેરા વિભાગ અને ગૃહ મંત્રાલયને પત્ર લખીને મહુઆ મોઇત્રા કેસ સાથે સંબંધિત માહિતી માંગી છે.
સમિતિએ ગૃહ મંત્રાલય પાસેથી છેલ્લા 5 વર્ષમાં મહુઆના વિદેશ પ્રવાસની વિગતો માંગી છે. કમિટી તપાસ કરશે કે મહુઆ દેશની બહાર ક્યાં ગયા અને તેણે લોકસભામાં તેની જાણકારી આપી કે નહીં. આ પછી, તેમનું લોગિન તેમના એમપી આઈડી પર મેચ થશે. મોઇત્રા સાથે જોડાયેલા વિવાદમાં ઈંઝ મંત્રાલય પાસેથી પહેલા જ માહિતી માંગવામાં આવી છે.
જો કે આ સમગ્ર બાબત ની સત્યતા તો સંપૂર્ણ તપાસ પછી જ ખબર પડશે. પણ મોઇત્રા ના ચેનલ ને આપેલા ઈન્ટરવ્યું ની વાતો ક્યાકટો ચમક બતાવીરહીછે. જો કે આ સમાચાર સથેઅપેલિઆ તસ્વીર અનેસમાચાર નેકોઈ લેવાદેવા નથી.