બ્રેકીંગ ન્યુઝ

Gram panchayat election: સરકારના મંત્રી અને પૂર્વ મંત્રીના પુત્રો સરપંચની ચૂંટણી હાર્યા


ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયાં છે. જેમાં જીતપુર ગ્રુપ ચૂંટણીમાં સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમારનો પરાજય થયો છે. કિરણ સિંહ પરમાર 600 મતથી ચૂંટણી હારી ગયાં છે. બીજી તરફ અંજારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના પુત્ર ત્રિકમ આહિર સરપંચ પદની ચૂંટણી હરી ગયાં છે. ભાજપના દિગ્ગજ મંત્રીઓના પુત્રોની હાર થતાં અનેક સવાલો ઉભા થયાં છે.

વાસણભાઈ આહિરના પુત્રની હાર

કચ્છમાં પૂર્વ રાજ્ય મંત્રી વાસણભાઈ આહિરના પુત્ર ત્રિકમ આહિર રતનાલ ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી લડ્યા હતાં. જેમાં તેમની સામે શ્રેયાબેન વરચંદ 155 મતે સરપંચની ચૂંટણી જીતી ગયાં છે. રતનાલ ગ્રામ પંચાયતમાં ખરાખરીનો જંગ ખેલાયો હતો. જ્યારે આ ચૂંટણીનું મતદાન થઈ રહ્યું હતું ત્યારે સમગ્ર કચ્છ જિલ્લામાં આ પંચાયત પર સૌની નજર હતી. વાસણભાઈ આહિરનું પોતાનું ગામ હોવાથી તેમનો પુત્ર ત્યાં ચૂંટણી લડી રહ્યાં હતાં. પરંતુ તેઓ સરપંચ તરીકે જીતી શક્યા નથી.

ભીખુસિંહ પરમારના પુત્રની હાર

બીજી તરફ અરવલ્લી જિલ્લામાં જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમારની હાર થઈ છે. કિરણસિંહ ભીખુસિંહ પરમાર અંદાજે 600થી મતે ચૂંટણી હાર્યા છે.વિજેતા ઉમેદવાર મંગળસિંહ પરમારને 1374 મત જ્યારે કિરણસિંહને માત્ર 751 મત મળ્યાં છે. કિરણ સિંહ પરમારની આખી પેનલ હારી જતાં અનેક સવાલો ઉભા થયાં છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!