Surat: ગ્રામપંચાયતની ચૂંટણીમાં ડભારીમાં સરંપચ મામલે રસાકસી, ધર્મિષ્ઠા પટેલ બન્યા વિજેતા

ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. કચ્છમાં અંજાર તાલુકાના પરિણામ જાહેર થયા જેમાં માડાવદરમાં દિનેશભાઈ વિજયી બન્યા. દરમિયાન સુરતના ઓલપાડના ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. ઓલપાડ તાલુકાની ડભારી ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં ભારે રસાકસી સર્જાઈ હતી. ડભારી ગામમાં સરપંચના ઉમેદવારમાં ટાઇ થતા આખરે ચિઠ્ઠીથી નિર્ણય કરવામાં આવ્યો.
ચિઠ્ઠી ઉછાળી કરાયો નિર્ણય
ડભારી ગામમાં સરપંચ મામલો અટવાતા આખરે ચિઠ્ઠી ઉછાળી નિર્ણય કરવામાં આવ્યો. ગામમાં સરપંચની ચૂંટણીમાં બંને ઉમેદવારને 341-341 મત મળતા ટાઈ થઈ હતા. એકસમાન મત મળતા સરપંચના દાવેદાર મામલે ભારે રસાકસી જોવા મળી હતી. આખરે કોણ સરપંચ બનશે તેને લઈને ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. અને તેમાં ધર્મિષ્ઠા પટેલનું નામ આવતા તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા. ધર્મિષ્ઠા બેન વિજયી થતા સમર્થકોમાં ખુશીનો માહોલ. વિજેતા જાહેર થયા બાદ સંદેશનન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે હું ગામના વિકાસ માટે કામ કરીશ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મતકેન્દ્રો પર મતગણતરી કરવામાં આવી રહી છે.
સરેરાશ 62.85 ટકા મતદાન
11 ગ્રામપંચાયતની પેટા ચૂંટણીમાં કુલ 17,335 મતદારોમાંથી 10,895 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગ્રામ પંચાયતની ચૂંટમીમાં સરેરાશ 62.85 ટકા મતદાન નોંધાયું હતું. આ જોતા દસેદસ તાલુકામાં કુલ 1,76,158 મતોની ગણતરી મન્યુઅલી રીતે કરવામાં આવી રહી છે. કારણ કે, આ વખતે બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવ્યું હોવાને કારણે સ્વાભાવિક પણે જ મત ગણતરીમાં થોડો સમય વધુ લાગશે. ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. લગભગ સાંજ સુધીમાં સરંપચના દાવેદારને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જેના બાદ વિજેતા ઉમેદવાર દ્વારા વિજય સરઘસ નીકળે તેવી સંભાવના છે.