અરવલ્લી જિલ્લાના બાયડ. સાઠંબા. અને ઉટંરડા.અને આજુબાજુના ગામડાઓના ખેડૂતોના વિસ્તાર માટે દિવસે થ્રી ફેઝ વિધુત પ્રવાહ આપવા માટેની રજૂઆત કરવામાં આવી!!!!!
અરવલ્લી ભારતીય જનતા પાર્ટીના બાયડ તાલુકાના પ્રમુખ શ્રી માનસિહ માધુસિંહ સોઢા પરમાર દ્વારા બાયડ તાલુકાના તમામ ખેડૂતોને દિવસે એગ્રીકલ્ચર થ્રી ફેઝ વીજળી આપવા લેખિત રજૂઆત કરવામાં આવી

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર ખાતે તારીખ 21/ 12/ 2023 ના રોજ on માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અરવલ્લી જિલ્લા માટે 264.45 કરોડના વિવિધ પ્રકલ્પો નો ખાતમુહૂર્ત લોકાર્પણ સમારંભ યોજાયો હતો આ કાર્યક્રમ માં મુખ્યમંત્રીશ્રી દ્વારા અરવલ્લી જિલ્લામાં રોડ ફોર લેન માજુમ નદી ઉપર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કિસાન સૂર્યોદય યોજના અનન્વયે 220. કે.વી સબ સ્ટેશન નુખાત મુહર્ત અને આદિજાતિ ખેડૂતોને ખેતી માટે પાણીની સુવિધા આપતી ઉદવહન સિંચાઇ યોજના. સહિતના વિકાસના કામો ના લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા હતા આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાને ગતિશીલ વિકાસનો મંત્ર આપ્યો છે અને તેને આગળ ધપાવવા ગુજરાત રાજ્ય સરકારે શ્રીએ પાછલા ૬ મહિનામાં અરવલ્લી જિલ્લા સમગ્રત્યા રૂપિયા ૬૦૦. કરોડ થી વધુ ના વિકાસના કામોની ભેટ આપી છે. આ પ્રસંગે ઉપસ્થિત મંત્રીશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ. અરવલ્લી જિલ્લાના તમામ સંગઠનના હોદ્દેદારો. સત્તાધીશો. અને કાર્યકરો. પદ અધિકારીઓ.અને ખૂબ મોટી સંખ્યામાં અરવલ્લી જિલ્લાના પ્રજાજનો હાજર રહ્યા હતા .આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ને અરવલ્લી જિલ્લાના બાયડ સાઠંબા આંબલીયારા ઉટંરડા ગામોના 66.કે.વી એગ્રીકલ્ચર બાકી રહી ગયેલ ફીડરોને દિવસે વીજળી આપવા અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના બાયડ તાલુકાના પ્રમુખ શ્રી માનસિંહ માધુસિંહ સોઢા પરમાર દ્વારા રાત્રે વન્ય પ્રાણીઓના ભય માંથી અને ડરના કારણે અને મૂંઝવતી ઠંડીના કારણે અને ગંભીર મુશ્કેલીના સામનાને લઈને દિવસે સત્વરે એગ્રીકલ્ચર થ્રી ફેજ વિધ્ધુત પ્રવાહ આપવા માટે બાયડ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી દ્વારા સત્વરે ઝડપથી દિવસે બાકી રહી ગયેલ ફીડરોનેએગ્રીકલ્ચર પાવર આપવા રજૂઆત કરવામાં આવી…..