Panchmahalમાં 5 ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ કોણ બનશે અટકળોનો અંત

ગુજરાતમાં આજે સવારથી ગ્રામપંચાયતની ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. સુરત, વડોદરા, ગાંધીનગર, કચ્છ બાદ પંચમહાલના ચૂંટણી પરિણામો સામે આવ્યા છે. પંચમહાલમાં 5 ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં સરાડીયા, ખોડા, સાજીવાવ અને ધમાઈગામમાં ચૂંટણી પરિણામ જાહેર થતા જ સરપંચ કોણ બનશે તેની અટકળોનો અંત આવ્યો છે.
ચૂંટણી પરિણામો જાહેર
પંચમહાલમાં હાલમાં 5 ગ્રામપંચાયતની ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ ગામોમાં સરાડીયા ગામમાંથી દલપતસિંહ બારીયાની જીત થઈ છે. ખોડા ગામમાં ગજરાબેન પગી વિજેતા જાહેર થયા છે. અને સાજીવાવમાં જશવંતસિંહ ખાંટ વિજેતા થયા છે. જ્યારે ધમાઇ ગામમાં મનિષા બારીયાએ સારા મતોથી જીત મેળવતા સરપંચ બનશે. રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી બાદ ગ્રામપંચાયતની ચૂંટણી થઈ હતી. અને આજે 11 ગ્રામપંચાયતની પેટાચૂંટણી પરિણામને લઈને મતકેન્દ્રો પર મતગણતરી શરૂ કરવામાં આવી છે.
સાજીવાવ ચૂંટણી પરિણામ : સાજીવાવમાં જસંવતસિંહ ખાંટ વિજેતા થયા છે. તેમણે કહ્યું કે હું મારા ગામના ભાઈઓ અને બહેનોનો આભાર માનું છું. જેમણે પોતાનો કિમંતી મત આપીને મને વિજયી બનાવ્યો છે.
સરાડીયા ચૂંટણી પરિણામ : સરાડીયાની ચૂંટણીમાં સરપંચની ચૂંટણીમાં વિજયી બનેલ બારિયા દલપતસિંહે કહ્યું કે ગામના લોકોએ મારા પર જે વિશ્વાસ મૂકયો છે હું તેમના વિશ્વાસ પર સફળ થવા પ્રયાસ કરીશ. સરપંચ બન્યા બાદ હું પ્રાથમિક જરૂરિયાત પર ભાર મૂકતા લોકોના કામો કરીશ. અગાઉ પણ 1998થી 2017 સુધી પણ મે સરપંચ તરીકે કામ કર્યું છે. એટલે આ વખતે હું ગામના વિકાસ થાય તે માટે પ્રયાસ કરીશ.
ખોડા ચૂંટણી પરિણામ : ખોડા ગ્રામ પંચાયતમાં પગી ગજરા બેન કાળુભાઈ 664 મતથી વિજયી થયા છે. તેમના પતિ પગી કાળુભાઈએ કહ્યું કે મારી ધર્મપત્નીને મત આપી વિજયી બનાવા બદલ તમામનો આભાર માનું છું.
ચૂંટણીમાં સરેરાશ 62.85 ટકા મતદાન
ગ્રામપંચાયતની પેટા ચૂંટણીમાં કુલ 17,335 મતદારોમાંથી 10,895 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગ્રામ પંચાયતની ચૂંટમીમાં સરેરાશ 62.85 ટકા મતદાન નોંધાયું હતું. આ જોતા દસેદસ તાલુકામાં કુલ 1,76,158 મતોની ગણતરી મન્યુઅલી રીતે કરવામાં આવી રહી છે. ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. લગભગ સાંજ સુધીમાં સરંપચના દાવેદારને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જેના બાદ વિજેતા ઉમેદવાર દ્વારા વિજય સરઘસ નીકળે તેવી સંભાવના છે.