બ્રેકીંગ ન્યુઝ

Aravalli News: ભિલોડામાં આત્મહત્યા મામલે તપાસ શરુ, ફાંસો ખાઇ ટૂંકાવ્યુ જીવન


અરવલ્લીના ભિલોડામાં આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. ફોરેસ્ટ ચોકીદાર ધુળાભાઈ તરારે ગળે ફાંસો ખાઇને પોતાનુ જીવન ટૂંકાવ્યુ છે. નર્સરીમાં જ ઝાડ પર ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કર્યુ હતુ. ધોલવાણી ગામ પાસે આવેલી નર્સરીમાં આત્મહત્યાની ઘટના સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ સ્થાનિકોને થતા તેઓએ પોલીસને જાણ કરી હતી. અને આત્મહત્યા માટે કયો કયુ કારણ જવાબદાર છે. તે અંગે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

આપઘાતનું કારણ અકબંધ

અરવલ્લીના ભિલોડામાં ફરજ દરમિયાન ફોરેસ્ટ કર્મચારીએ આપઘાત કરતા ચર્ચાનો દૌર શરૂ થયો છે. મોડી રાત્રે નર્સરીમાં જ ગળેફાંસો ખાઈને ફોરેસ્ટ કર્મચારીએ પોતાનુ જીવન ટૂંકાવ્યું હતુ. ધોલવાણી ગામ પાસે આવેલી નર્સરીમાં આ ઘટના બની હતી. આપઘાત માટે કયુ કારણ જવાબદાર છે તે રહસ્ય હજુ અકબંધ છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. ભિલોડામાં ફરજ દરમિયાન ફોરેસ્ટ કર્મચારીનો આપઘાત એ અચરજ પમાડે એવુ છે.

ભિલોડા પોલીસે શરુ કરી તપાસ

અરવલ્લીના ભિલોડામાં ફોરેસ્ટ કર્મચારીના આપઘાત મામલે તપાસ તેજ કરાઇ છે. તેઓ કઇ વાતથી પરેશાન હતા. શુ કારણ હતુ. તે અંગે તપાસ હાથ ધરાઇ છે. આપઘાતની જાણ રાત્રી દરમિયાન આસપાસના લોકોને થતા તેઓએ પોલીસને જાણ કરી હતી. અને પોલીસે ઘટના સ્થળે આવી મામલા અંગે માહિતી મેળવી હતી.

Disclaimer: આત્મહત્યા કરવો એ ગુનો છે પણ સમાચાર માધ્યમ હોવાને લઇ સારા અને ખરાબ બંને ન્યૂઝ બતાવવા હોવાથી જાગીર તરીકે ફરજમાં આવે છે. આત્મહત્યા કરવા જેવી સ્થિતિમાં સરકારે જાહેર કરેલી હેલ્પલાઇનનો ખાસ ઉપયોગ કરો.  



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!