Sabarkantha: નવાનગર ગામમાં 20 વર્ષથી ઈલેક્શન નહીં સિલેક્શન થયા છે

સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલું નવાનગર ગામ આજે ગુજરાતમાં સમરસતાનું જીવંત ઉદાહરણ બની ઊભરી રહ્યું છે.વર્ષ 1995થી આજદિન સુધી અહીં એકપણ વખત ચૂંટણી યોજાઈ નથી.ચૂંટણીના બદલે ગ્રામજનોની સહમતિથી સરપંચ સહિત તમામ મંડળીઓમાં સિલેક્શન થકી પ્રતિનિધીઓ પસંદ કરવામાં આવે છે.આ ગામ દરેક બાબતે સમૃદ્ધ ગામ છે.ગામનું કે ખેતર કે આજુબાજુનું કે કેનાલ યોજનાનું પાણી તળાવ ત્યારબાદ તેને ગામના સંપ દ્વારા માગ મુજબ પિયત મંડળી મુજબ પાણી વહેંચણી ડ્રિપ ઇરીગેશન દ્વારા થાય છે જેથી પાણીનું એક ટીપું બગડતુ નથી.જેની રાજ્ય સરકાર દ્વારા પણ નોંધ લેવાઈ છે.
20 વર્ષથી ઇલેક્શન નહી સિલેક્શન થયા
નવાનગર ગામમાં 20 વર્ષથી ઇલેક્શન નહી સિલેક્શન થયા છે. જેમાં સરપંચ હોય કે મંડળી હોય દરેકમાં ગામ લોકોની ભાગીદારી જોવા મળે છે. ગામના રસ્તા, લાઈટ, પાણીની લાઈનો, તળાવ, કૂવા, ખેડૂતો ડ્રીપ સિંચાઈ, કિસાન મોલ, મહિલા મંડળોને નવાનગરના લોકોએ એકતાને આધાર બનાવી પાંચ વર્ષ માટેના વિકાસની જવાબદારી યુવા નેતૃત્વને સોંપી છે.ખાસ કરીને સિંચાઈના મુદ્દે નવાનગર આજે રાજ્ય માટે દિશાસૂચક બન્યું છે. વરસાદી પાણીથી તળાવ બનાવ્યા પછી કુલ એક જ કૂવો અને સંપના આધારે સમગ્ર ગામમાં ડ્રીપ સિંચાઈ અમલમાં મૂકાઈ છે.
2200 વીઘાથી વધુ જમીન પર ખેતી
2200 વીઘાથી વધુ જમીન પર ખેતી થઇ રહી છે અને પાણીનું સ્તર પણ જળવાઈ રહ્યું છે.વહિવટદાર શાસન બાદ જાહેર થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ નવાનગરે સમરસતા જાળવી રાખી છે. મહિલાઓ પણ આત્મનિર્ભર બની છે અને ગામમાં કિસાન મોલ જેવી નવી યોજનાઓ અમલમાં આવી છે. આ બધું સમરસતાના એકમાત્ર મંત્રથી શક્ય બન્યું છે. જ્યારે સમગ્ર રાજ્યમાં ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે નવાનગર જેવી ગામ પંચાયતો સરસ બિનહિંસક વિકાસનું ઉદાહરણ બની રહી છે. હવે જોવું એ રહેશે કે આ સમરસતાનો દિપક અન્ય કેટલાં ગામોમાં પ્રકાશિત થાય છે.