Porbandar જિલ્લામાં 3 તાલુકાની 56 ગ્રામ પંચાયતમાં યોજાશે ચૂંટણી, વાંચો Detail Story

પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા એમ ત્રણેય તાલુકાની કુલ 56 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે, જેમાં 18 ગામની ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી યોજાશે અને 37 ગામની પંચાયતમાં પેટા ચૂંટણી યોજાશે.
વિકાસના કામો પણ ઠપ થઈ ગયા
ઘણી ગ્રામ પંચાયતોમાં વહીવટી શાસન હોવાના કારણે વિકાસના કામો ઠપ થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે, સંદેશ ન્યૂઝની ટિમ દ્વારા રાણાવાવ તાલુકાના આદિતપરા ગામની લોકો સાથે ચર્ચા કરતા અનેક સમસ્યા સમસ્યાઓનો અભાવ હોવાનું આદિતપરાના ગ્રામજનોએ જણાવ્યું છે.
પોરબંદગરની આદિતપરામાં ગ્રામ પંચાયતમાં વહીવટી શાસન
છેલ્લા ત્રણ વર્ષથી આદિતપરામાં વહીવટી શાસન હોવાના કારણે લોકો દ્વારા સમસ્યાઓ પડે તો લેખિત તથા મુખ્ય રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનો નિરાકરણ ન આવતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, આરોગ્ય વીજ પુરવઠો તથા રોડ રસ્તાની જેવી અનેક સુવિધાઓનો અભાવ આદિતપરા ગામમાં જોવા મળ્યો છે.
આદિતપારા ગામમાં ભર ઉનાળે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે
રાણાવાવ તાલુકાના આદિતપારા ગામમાં ભર ઉનાળે વીજ પુરવઠો અનેક વાર ખોરવાતા ગ્રામજનોને મોટી હાલાકી ભોગવવાનો વારો આવે છે, અનેક વાર વીજ કર્મીઓને ફરિયાદ કરવા છતાં સમસ્યાનું સમાધાન થતું ન હોવાનું ગ્રામજનો એ જણાવ્યું હતું, ખાસ કરીને આદિતપરા ગામમાં આંગણવાડીમાં પણ વીજ પુરવઠો પૂરતો ન મળતા નાના બાળકોને આંગણવાડીના પટઆંગણ બેસવાનો વારો આવ્યો હતો. આદિતપરા ગામની આંગણવાડી પણ જર્જરિત હાલતમાં જોવા મળી છે, છતમાંથી પ્લાસ્ટરના પોપડા ખરી ગયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે.
આદિતપરા ગામના લોકો ચૂંટણીમાં યુવા ચહેરો ઈચ્છી રહ્યાં છે
છેલ્લા ત્રણ વર્ષથી વહીવટી શાસન હોવાના કારણે સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં ગ્રામજનોને વ્યવસ્થિત આરોગ્ય કેન્દ્ર પણ તંત્ર દ્વાર બનાવવામાં આવ્યું નથી, આદિતપરા ગામમાં આરોગ્ય કેન્દ્ર પણ ભાડે જગ્યા રાખીને ચલાવવું પડી રહ્યું છે. આદિતપરા ગામના લોકો સરપંચની ચૂંટણીમાં યુવાન ચહેરો ઇચ્છી રહ્યા છે અને વીજ પુરવઠો, આરોગ્ય તથા શિક્ષણ બાબતે વિશેષ ધ્યાન આપવામાં આવે તેવા ઉમેદવાર ચૂંટાઈ તેવી ઈચ્છા ગ્રામજનોએ વ્યક્ત કરી છે.