બ્રેકીંગ ન્યુઝ

Junagadh: હું ચૂંટણી લડવા આવ્યો એટલે આક્ષેપો થયા: ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ


જૂનાગઢમાં વિસાવદર બેઠકની વિધાનસભાની ચૂંટણી પહેલા જ હોબાળો મચ્યો છે. જૂનાગઢની જૂથળ સેવા સહકારી મંડળીમાં કૌભાંડના આક્ષેપ સાથે સભાસદ ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે.22 ખેડૂતોની 35 લાખથી વધુની ફિક્સ ડિપોઝિટ પરત નહીં કરાતા ખેડૂતો રોષે ભરાયા છે.ફિક્સ ડિપોઝિટનું 24 લાખ વ્યાજ ચાંઉ કર્યાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. ખેડૂતોએ સહકારી મંડળી સાથે બેંકના કર્મચારીઓની પણ સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો છે.

વિરોધીઓને આક્ષેપો કરવા સિવાય બીજુ કંઈ સૂઝતુ નથી

ખેડૂતોએ કરેલા આક્ષેપ અંગે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને વિસાવદર બેઠકના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ખુલાસો કર્યો હતો કે, જવાબદારો સામે પગલાં લેવાયા છે અને પોલીસ ફરિયાદ પણ કરાઈ છે. દોષિત લોકોની મિલકત અંગે પણ કાર્યવાહી કરવામાં આવી છે. હું ચૂંટણી લડવા આવ્યો એટલે આ બધા આક્ષેપો થયા છે. વિરોધીઓને આક્ષેપો કરવા સિવાય બીજુ કંઈ સૂઝતુ નથી.

હું ચૂંટણીમાં આવ્યો એટલે આ બધા આક્ષેપો થઈ રહ્યા છે

તેમણે વધુમાં કહ્યું હતું કે, જૂથળ સેવા સહકારી મંડળીમાં અમારો કોઈ પ્રોબ્લેમ નથી. અમારી બેંકની નવી બ્રાંચ ખુલ્લી જ છે. કિરિટ પટેલે ગઈકાલે સુરતમાં યોજાયેલા સંમેલનમાં કહ્યું હતું કે વિસાવદરમાં જે ઈકોઝોનનો મુદ્દો છે તે હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ખેડૂતોની ઈચ્છા પ્રમાણે ઈકોઝોનનો મુદ્દો ઉકેલવામાં આવશે. અમારી બેંકમાં મારા આવ્યા પછી બધુ સારૂ થયું છે. હું ચૂંટણીમાં આવ્યો એટલે આ બધા આક્ષેપો થઈ રહ્યા છે.વિરોધીઓને ફક્ત આક્ષેપ કરવા સિવાય બીજું કંઈ સૂઝતું જ નથી



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!