બ્રેકીંગ ન્યુઝ

Banaskantha જિલ્લામાં ચૂંટણી દરમિયાન ધાર્મિક સ્થળોના રાજકીય ઉપયોગ પર પ્રતિબંધ


ગુજરાત રાજય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી -૨૦૨૫નો કાર્યક્રમ તા.૨૮/૦૫/૨૦૨૫થી જાહેર થયેલ છે. તે મુજબ બનાસકાંઠા જિલ્લામાં મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ (રવિવાર)ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૨૫/૦૬/૨૦૨૫ના રોજ થનાર છે. ભારતના ચૂંટણી બંધારણની કલમ – ૩૨૪ હેઠળ ચૂંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતાનો અમલ કરવા આપેલ સૂચનાઓ મુજબ ધાર્મિક સ્થળનો ચૂંટણી પ્રચારના ઉપયોગ પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

પોલીસ અધિકારી નોંધશે ફરિયાદ

જાહેર શાંતિ અને સલામતીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ (આઈ.એ.એસ.) દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં આવેલ કોઈ પણ મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા કોઈપણ ધાર્મિક પ્રાર્થના સ્થળોનો ચૂંટણીલક્ષી ભાષણો કે ચૂંટણીના કોઈપણ પ્રકારના હેતુ માટે તા. ૦૪/૦૬/૨૦૨૫ થી તા.૨૭/૦૬/૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન ઉપયોગ કરી શકાશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ સજા તથા દંડને પાત્ર થશે. તેમજ સદરહું જાહેરનામાના ભંગ બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ફરજ પરના એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તેમજ સંબંધિત પોલીસ અધિકારીએ કરવાની રહેશે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!