બ્રેકીંગ ન્યુઝ

Gram Panchayat election: વિજાપુરની ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયતમાં એકપણ ફોર્મ ન ભરાયું


ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. આજના દિવસે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં મોટી ઘટના સામે આવી છે. આજે ગોવિંદ પુરા ગ્રામ પંચાયતમાં એક પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યું નથી. ચૂંટણીનું ફોર્મ નહીં ભરીને આઠ જેટલા ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. લોકોએ સરપંચ અને પંચાયતના સભ્યોનો વિરોધ કરી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે.

મામલતદારને આઠ ગામના લોકોએ આવેદન પાઠવ્યું

પ્રાપ્ત વિગતો પ્રમાણે વિજાપુર તાલુકાની ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયતનો વિવાદ વધુ વકર્યો છે. વિજાપુર નગર પાલિકા અને જૂથ પંચાયતને મર્જ કરવાના વિવાદ વચ્ચે એક પણ ઉમેદવારે ફોર્મ નહીં ભરીને ચૂંટણીનો આડકતરો વિરોધ કર્યો છે. વિજાપુર તાલુકાના મામલતદારને આઠ ગામના લોકોએ આવેદન પાઠવ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારે 2025ની 15મી જાન્યુઆરીએ નગરપાલિકાનો વિસ્તાર અને સીમા વધારવા માટે જાહેરનામુ બહાર પાડ્યું હતું.

જાહેરનામામાં જૂથ પંચાયતની જમીન નગરપાલિકામાં સમાવી લેવાઈ

સરકારે બહાર પાડેલા જાહેરનામામાં ગોવિંદપુરા જૂથ પંચાયતના આઠ ગામોના સર્વે નંબરો, ગોચર જમીન અને તળાવોની જમીનનો નગરપાલિકામાં સમાવેશ કરાયો છે.જેના કારણે ગોવિદપુરા જૂથ પંચાયત પાસે વહિવટ ચલાવવા માટે પૂરતી જગ્યા નગરપાલિકામાં જતી રહી છે. આઠ ગામના લોકોની માગણી છે કે, સરકારે જે તળાવો અને ગૌચર જમીન નગરપાલિકામાં સમાવેશ કર્યો છે તેને ગોવિંદપુરા જૂથ પંચાયતને પરત કરવામાં આવે. આઠ ગામના લોકોએ તેમની માગણીઓ રજૂ કરી હતી.તે ઉપરાંચત લોકોએ ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!