બ્રેકીંગ ન્યુઝ

Gram Panchayat election: ચંદ્રપુરા 15 વર્ષથી વહિવટદાર ભરોસે, ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો


ગુજરાતમાં આગામી 22 જૂને ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા અનેક ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. આજે ફોર્મ ચકાસણીનો દિવસ છે. આવતીકાલે ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. આ દરમિયાન રાજ્યમાં ત્રણ ગ્રામ પંચાયતોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. વિજાપુરની ગોવિંદપુરા જૂથ પંચાયત, ઊંઝાની લીંડી ગ્રામ પંચાયત અને પંચમહાલની ચંદ્રપુરા ગ્રામ પંચાયતમાં ચૂંટણી નહીં યોજાય. ત્રણેય પંચાયતોમાં વિવાદ થતાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.

છેલ્લા 15 વર્ષથી ગ્રામ પંચાયત વહિવટદારના નામે ચાલે છે

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગ્રામજનોએ પંચાયતની સામાન્ય ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાથી પંચમહાલની ચંદ્રપુરા ગ્રામ પંચાયતમાં ચૂંટણી નહીં યોજાય. ગ્રામજનોનું કહેવું છે કે, સરપંચ-સભ્ય પદના ઉમેદવારો જાહેર થયા તે વ્યક્તિ ગામમાં જ નથી. છેલ્લા 15 વર્ષથી ગ્રામ પંચાયત વહિવટદારના નામે ચાલે છે. ગામમાં સરપંચ નહીં હોવાથી વિકાસ રૂંધાયો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.

છેલ્લી ત્રણ ટર્મથી અનુસૂચિત જનજાતિના ઉમેદવારો ચૂંટાય છે

ચંદ્રપુરા ગ્રામ પંચાયતમાં છેલ્લી ત્રણ ટર્મથી અનુસૂચિત જનજાતિના ઉમેદવારો ચૂંટાય છે. હાલ ગામમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે જ નહીં.ચંદ્રપુરા ગ્રામ પંચાયત 681ની વસ્તી અને 327 મતદારો ધરાવે છે. રોસ્ટર મુજબ ચંદ્રપુરા ગ્રામ પંચાયત માટે સરપંચ અને સભ્યના જે ઉમેદવાર જાહેર થયા તે જ્ઞાતિના કોઈ વ્યક્તિ ગામમાં છે જ નહીં. સામાન્ય જ્ઞાતિ બાહુલ્ય ધરાવતી ચંદ્રપુરામાં હાલની સ્થિતિએ અનુસૂચિત જાતિ કે જન જાતિના કોઈ વ્યક્તિ રહેતા જ નથી. સામાન્ય જ્ઞાતિના ઉમેદવાર જાહેર કરવાની માંગ સાથે ગ્રામજનો એ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામમાં સરપંચ નહિ બનતા અદ્યતન સુવિધા ધરાવતી પંચાયતનો વિકાસ રૂંધાયો હોવાના ગ્રામજનોના આક્ષેપ છે. 



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!