બ્રેકીંગ ન્યુઝ

Gandhinagar: રાજ્યમાં જ્યારે જોઈએ ત્યારે ટેટ કે ટાટ ચાલુ જ હોય છે


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ વિભાગની કાર્યપદ્ધતિ પર ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે, હાલમાં લોકોને સરકારી નોકરી મેળવવાનો ક્રેઝ છે. સારી રીતે કામ કરીશું તો સારૂ કામ લઈ શકીશું. ઉદ્યોગોમાં સારા કામ માટે વિજ્ઞાનમાં સારૂ શિક્ષણ જરૂરી છે.તેમણે ટકોર કરતાં કહ્યું હતું કે, જ્યારે જોઈએ ત્યારે ટેટ કે ટાટ ચાલતુ જ હોય છે. શિક્ષણ વિભાગમાં અન્ય વિભાગોએ ધ્યાન કેન્દ્રીત કરવુ પડે છે

સોશિયલ મીડિયામાં હું પણ રીલ જોઉ છું

તેમણે સોશિયલ મીડિયામાં રીલ જોવા મુદ્દે કહ્યું હતું કે, સોશિયલ મીડિયામાં હું પણ રીલ જોઉ છું. એક વખત ચાલું થાય તો તમે જોતા જ રહો. નેગેટીવ રીલમાં ઘણી કોમેન્ટ હોય અને તેને જોનારા પણ વધારે હોય છે. જ્યારે પોઝિટિવ રીલમાં જોનારા ઓછા અને કોમેન્ટ પણ ઓછી હોય છે.આપણે લોકો સુધી સકારાત્મક બાબતોને લઈ જવી પડશે. સરકારનું પોઝિટિવ અને નેગેટિવ બંનેની જવાબદારી મારી છે. લોકો પોઝટિવ ના જુએ તો શું આપણે નહીં બતાવવાનું?

એક જગ્યાએ કંઈક ખરાબ આવે એટલે તરત ન્યૂઝ બને

તેમણે શાળા પ્રવેશોત્સવની બેઠકમાં કહ્યું હતું કે, 10 વખત શાળા પ્રવેશોત્સવમાં ભાગ લીધો એમને અમે શું કહીએ. આપણે હવે એવું ઈચ્છીએ કે ક્યાંય નેગેટિવ રિમાર્ક ના આવે. તેની વ્યવસ્થા શિક્ષણ વિભાગે જ કરવી પડશે. એક જગ્યાએ કંઈક ખરાબ આવે એટલે તરત ન્યૂઝ બને. હવે તો શિક્ષણ સચિવ પણ શહેરી વિભાગમાં કામ કરીને આવ્યા છે. બેરોજગારીની રોજ બૂમો પડે છે. ખેડૂતોને પૂછો તો ખબર પડશે કે ખેતરમાં કામ કરવા પૈસા આપવા છતાં લોકો નથી તો બેરોજગારી ક્યાં છે. નાનામાં નાના માણસને મુખ્ય પ્રવાહમાં લાવવો જોઈએ.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!