બ્રેકીંગ ન્યુઝ

Gujarat By Election: વિસાવદર પેટા ચૂંટણીમાં હર્ષ સંઘવીની એન્ટ્રી, પ્રચાર શરૂ કર્યો


આગામી 19 જૂન 2025ના રોજ કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. તેવામાં રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વિસાવદર પેટા ચૂંટણીમાં હર્ષ સંઘવીએ પ્રચાર કર્યો હતો. ભવનાથ તળેટી ખાતે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમના મંહત ઇન્દ્રભારતી બાપુ સાથે બેઠક કરી હતી. વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં લોકોને માળખાકીય સુવિધા આપવામાં આવશે.

વિસાવદર વિધાનસભામાં હર્ષ સંઘવીનો પ્રચાર
વિસાવદર વિધાનસભામાં રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેવામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે જૂનાગઢ પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ વિસાવદર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરફ લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. ભવનાથ તળેટી ખાતે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમની મુલાકાત લીધી હતી. સાથે જ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મંહત ઇન્દ્રભારતી બાપુ સાથે બેઠક કરી હતી.

રાજકીય પક્ષોએ સ્ટાર પ્રચારકો ઉતાર્યા
રાજકીય પક્ષો દ્વારા પેટાચૂંટણીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. હાલ વિસાવદર વિધાનસભા લોકો માટે એક ચર્ચાનું કેન્દ્ર પણ છે. વિસાવદરમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા બેઠક પર કબ્જો કરવા જોર લગાવી રહ્યા છે. તેવામાં રાજકીય પક્ષો દ્વારા પોતાના સ્ટાર પ્રચારકો પણ ઉતારવામાં આવ્યા છે.  



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!