બ્રેકીંગ ન્યુઝ

Gram Panchayat Election: અમરેલીના લાઠી તાલુકાનુ પ્રતાપગઢ ગામ આધુનિક સુવિધાઓથી સજ્જ


અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અહીં આવેલા ગામમાં આજના સમયની તમામ સુવિધાઓ તમને મળી રહેશે. લાઠી તાલુકાનુ એક એવું ગામ, જે તેની કામગીરી માટે જાણીતું છે. આઝાદી બાદ અહીં ક્યારેયપણ ચૂંટણી યોજાઇ નથી. આઝાદીના દાયકા બાદ અહીં પંચાયત સમરસ થાઇ છે. ત્યારે આ કયુ ગામ છે. શુ વિશેષતાઓ છે તે અંગે જાણીએ.

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનુ ગામ

અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે લાઠી તાલુકાનુ પ્રતાપગઢ ગામ જે આઝાદીના દાયકા બાદથી જ સમરસ છે. અનેક ઉઘોગપતિ જે આ ગામમા વસવાટ કરે છે અને સુરત હીરા ઉદ્યોગ અને બીઝનેસ સાથે જોડાયેલા છે. પ્રતાપગઢ ગામમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ જોવા મળે છે. લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામમાં આઝાદી બાદ ક્યારે પણ ગ્રામપંચાયત ચૂંટણી નથી યોજાઈ. અહીં ગામના જ લોકો એકત્રિત થઈને બિન હરીફ સરપંચની વરણી કરે છે. પ્રતાપગઢ ગામ આમ તો 2200 લોકોની જ વસ્તી ઘરાવે છે. પણ મોટા ભાગના લોકો સુરત, અમદાવાદ સહિતના શહેરોમાં ધંધાર્થે વસવાટ કરે છે. આ ગામમાં તમામ આધુનિક વ્યવસ્થા જોવા મળે છે. સફાઈ, રોડ, રસ્તાઓ, ઘરે-ઘરે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. કોમ્પ્યુટરથી સજ્જ શાળા ગ્રામ પંચાયત જોવા મળે છે. અહીંયા ઓક્સિજન પાર્કનુ પણ નિર્માણ પણ કરવામાં આવ્યુ છે. ગામમાં વાઇફાઇની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

ગ્રામ વિકાસમાં ઉદ્યોગપતિઓનો ફાળો

પ્રતાપગઢ ગામમાં બધી જ શેરીઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ગામને ફરતે કુદરતી વાતાવરણ શાંતિની અનુભૂતિ કરાવે છે. આ ગામના ઉઘોગપતિ દ્વારા પણ પોતાનો સિંહ ફાળો આ ગામના વિકાસમાં જોવા મળે છે. લાઠી તાલુકાનુ પ્રતાપગઢ ગામ આઝાદીના દાયકા બાદ સમરસ થયુ છે. પ્રતાપગઢ ગામમાં તમામ આઘુનિક સુવિધા ઉપલબ્ધ છે. સમરસ થવાના કારણે સરકાર દ્વારા પણ પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે. 



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!