બ્રેકીંગ ન્યુઝ
Ahmedabad જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી અંતર્ગત મતગણતરીની વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી

આગામી ગ્રામ પંચાયત ચૂંટણીને અનુલક્ષીને અમદાવાદ જિલ્લામાં મતગણતરી માટેની વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. 25 જૂનના રોજ આ મતગણતરી યોજાનાર છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતગણતરી પ્રક્રિયા સુચારુ અને પારદર્શક રીતે થાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી આયોજન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
સાણંદ તાલુકામાં ૫ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે
મતગણતરી અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, બાવળા તાલુકામાં ૪ ગ્રામ પંચાયતો, દસકોઈ તાલુકામાં ૫ ગ્રામ પંચાયતો, ધોલેરા તાલુકામાં ૫ ગ્રામ પંચાયતો, ધંધુકા તાલુકામાં ૫ ગ્રામ પંચાયતો, વિરમગામ તાલુકામાં ૯ ગ્રામ પંચાયતો, માંડલ તાલુકામાં ૪ ગ્રામ પંચાયતો, ધોળકા તાલુકામાં ૫ ગ્રામ પંચાયતો, દેત્રોજ-રામપુરા તાલુકામાં સૌથી વધુ ૧૨ ગ્રામ પંચાયતો, અને સાણંદ તાલુકામાં ૫ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.
૨૨૯ મતગણતરી સ્ટાફને તૈનાત કરવામાં આવશે
તાલુકા દીઠ એક એમ સમગ્ર અમદાવાદ જિલ્લામાં કુલ ૯ મતગણતરી સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. આ તમામ મતગણતરી સ્થળોએ કુલ ૨૮ મતગણતરી હોલ અને ૪૨ મતગણતરી ટેબલોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતગણતરીની આ જટિલ અને મહત્ત્વપૂર્ણ કામગીરી સુપેરે પાર પડે તે માટે ૨૨૯ મતગણતરી સ્ટાફને તૈનાત કરવામાં આવશે.
અનિચ્છનીય બનાવ ન બને અને પરિણામો સમયસર જાહેર થઈ શકે
આ ઉપરાંત, મતગણતરી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ૨૯૭ પોલીસ સ્ટાફ પણ કાર્યરત રહેશે, જે સુરક્ષા અને શાંતિપૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત કરશે. મતગણતરી પ્રક્રિયાને નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન કરવા માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા અને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો છે, જેથી કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને પરિણામો સમયસર જાહેર થઈ શકે.