બ્રેકીંગ ન્યુઝ

Bihar Election 2025: ચિરાગની સીએમ બનવાની ઇચ્છા પર તેજસ્વીએ કર્યો કટાક્ષ


કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાન રાજકારણમાં પોતાની મજબૂત ઓળખ ધરાવે છે. હવે ચિરાગ પાસવાને બિહાર વિધાનસભા ચૂંટણી લડવાનું નક્કી કર્યુ છે. ત્યારે આ નિર્ણય પર હવે રાષ્ટ્રીય જનતા પાર્ટીના નેતા તેજસ્વી યાદવે કટાક્ષ કર્યો છે. અને ચિરાગ પર શાબ્દિક પ્રહાર કર્યા છે. તેઓએ જણાવ્યુ છે કે, ચિરાગે સરળતાથી પોતાની ઇચ્છા કહી દેવી જોઇએ કે, તેઓ સીએમ બનવા ઇચ્છે છે. બિહારમાં રાજકીય નાટક કરવાની કોઇ જરુર નથી.

બિહારમાં તેજ થઇ રાજકીય હલચલ

કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાન હમણા ચર્ચાનો વિષય બન્યા છે. તેઓેએ હાલમાં એક જનસભા સંબોધી હતી. અને જણાવ્યુ હતુ કે, તેઓ બિહારની 243 વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા ઇચ્છે છે. આ જાહેરાત બાદ બિહારમાં ચર્ચાઓનો દૌર શરુ થયો છે. અને આ હોબાળાની વચ્ચે તેજસ્વી યાદવે પોતાના અંદાજમાં ચિરાગ પર કટાક્ષ કર્યો છે.

બિહારની ચૂંટણીમાં ચિરાગને વધુ રસઃ તેજસ્વી યાદવ

બિહારમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે તમામ પક્ષોએ પોતાના તરફથી ચૂંટણીની તૈયારીઓ શરુ કરી છે. ત્યારે એલજેપીના નેતા અરુણ ભારતીએ ચિરાગ પાસવાનના ચૂંટણી લડવા અંગે અનેક વાર પ્રતિક્રિયા આપી છે. તો આ તરફ, ચિરાગે પણ મોટાભાગે પોતાના સંબોધનમાં બિહાર ચૂંટણીમાં ઉતરવા અંગે પ્રતિક્રિયાઓ આપી છે. તેઓએ જણાવ્યુ હતુ કે, જો પક્ષ ઇચ્છે તો તેઓ બિહાર ચૂંટણી જરુરથી લડશે. તેઓેએ વધુમાં જણાવ્યુ હતુ કે, તેમનું મન કેન્દ્ર કરતા બિહાર રાજનીતિમાં વધુ છે. તેમના આ નિવેદન બાદ બિહાર રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.  



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!