Dahodમાં મતદાન કરવા જતા હતા અને અકસ્માત થયો, 3 લોકોના મોત

ગુજરાતમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી છે ત્યારે દાહોદમાં મતદાન કરવા જતા હતા તે સમયે અકસ્માત થયો છે જેમાં 3 લોકોના ઘટના સ્થળે મોત થયા છે અને 14 લોકો ઈજાગ્રસ્ત થયા છે, અમદાવાદથી દાહોદ જતા સમયે બની ઘટના અને સંતરામપુર બાયપાસ પાસે સર્જાયો અકસ્માત, કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માતમાં 3ના મોત થયા છે.
અમદાવાદથી દાહોદ મતદાન કરવા જતા હતા
અમદાવાદથી દાહોદ મતદાન કરવા જતા હતા તે સમયે કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થયો છે, આ અકસ્માત એટલો ગંભીર હતો કે કાર સંપૂર્ણ રીતે ડેમેજ થઈ ગઈ છે, તો ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા, આ ઘટનામાં 3ના મોત અને 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે પણ સમગ્ર ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
દાહોદમાં 281 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી
દાહોદ જિલ્લામાં આજરોજ ગ્રામ પંચાયતની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ માટે સવારે 07:00 કલાકથી સાંજે 6:00 કલાક દરમિયાન મતદાન પ્રક્રિયા યોજાઈ છે. જિલ્લાની 281 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી માટે તથા 84 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. દાહોદ જિલ્લામાં સરપંચ પદ માટે 840 ઉમેદવારો તથા સભ્ય પદ માટે 4,336 ઉમેદવારોના ભાવિનો ફેસલો 6 લાખથી વધુ મતદારો કરશે.