બ્રેકીંગ ન્યુઝ

kutch: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોડાવદરના સરંપચ બન્યા દિનેશ રબારી, 650મતથી મેળવી જીત


ગુજરાતમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે. કચ્છમાંથી અંજાર ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ સામે આવ્યા છે. જેમાં મોડવદર ગામમાં સરપંચની ચૂંટણીમાં દિનેશ રબારની જીત થઈ છે. મોડવદર ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ પદ માટે 5 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું . ચાર હરીફોને પાછળ છોડી દિનેશ રબારી કરમશીની 650 મતથી વિજયી બન્યા છે. આજે ગ્રામપંચાયતની ચૂંટણીમાં 9 તાલુકા મથકે મતગણતરી હાથ ધરાઈ. મતગણતરી કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આજે 1668 ઉમેદવારોના પરિણામો સામે આવી રહ્યા છે. 

3541 ગ્રામ પંચાયતોનું પરિણામ

કચ્છની 129 ગ્રામ પંચાયતની મતગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં અંજાર ગ્રામપંચાયતની ચૂંટણીના મોડાવદર ગામના પરિણામ સામે આવ્યા છે. આજે 3541 ગ્રામ પંચાયતોનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. જેમાં 353 ગ્રામ પંચાયતોની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થતા 3656 ગ્રામ પંચાયતને નવા સરપંચ મળશે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં 16224 સભ્યો પદ મતદાન થયું હતું. મહેસાણા જિલ્લાની 235 ગ્રામ પંચાયત, વડોદરાની 208 ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. જ્યારે પાટણમાં 224 સરપંચનો જનાદેશ થશે. આ ઉપરાંત અમરેલીમાં 77 ગ્રામ પંચાયત અને બનાસકાંઠાની 322 ગ્રામપંચાયતોમાં યોજાયેલ ચૂંટણીની મતગણતરી પણ હાથધરવામાં આવી છે. પેટાચૂંટણી બાદ ગ્રામપંચાયતોની ચૂંટણીને લઈને તંત્ર વધુ એલર્ટ છે.

વરસાદના માહોલમાં ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામ

રાજ્યમાં એકબાજુ વરસાદનો માહોલ છે. અને બીજી બાજુ ગ્રામપંચાયતની ચૂંટણીને લઈને મતગણતરી થઈ રહી છે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં આ વખતે બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવ્યું હોવાને કારણે સ્વાભાવિક પણે જ મત ગણતરીમાં થોડો સમય વધુ લાગશે. દરવર્ષે અષાઢી બીજના રોજ રથયાત્રાની ઉજવણી થતી હોય છે. અમદાવાદમાં જમાલપુરના જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રા વધુ લોકપ્રિય છે. અમદાવાદમાં ઉપરાંત હવે રાજ્યમાં અનેક વિસ્તારોમાં પણ રથયાત્રાની ઉજવણી કરવામાં આવે છે. વરસાદી માહોલમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ સાથે ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો અને પાણી ભરાવાના કારણે અનેક ફસાયેલા લોકોનું રેસ્કયુ મિશન. આજે વહીવટીતંત્ર સમગ્ર સ્થિતિ પર કામગીરી કરી રહ્યું છે. 



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!