Gujarat: પંચાયત મંત્રી બચુ ખાબડની ગેરહાજરીમાં ચોજાશે સરપંચ સંમેલન

ગુજરાતમાં તાજેતરમાં જ ગ્રામપંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થયુ હતું. આ પરિણામ બાદ હવે નવા ચૂંટાયેલા સરપંચોનું સંમેલન યોજાશે. રાજ્યના પંચાયત મંત્રીની ગેરહાજરીમાં સરપંચ સંમેલનનું આયોજન કરવામાં આવશે. આ સંમેલન મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાશે. અડાલજ પાસેના ત્રિમંદિર ખાતે રાજ્યભરના ચાર હજાર સરપંચો સંમેલનમાં એકત્ર થશે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સરપંચ સંમેલનનું આયોજન
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતમા ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવા ચૂંટાયેલા સરપંચોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સંમેલન યોજવામાં આવશે. અડાલજ પાસેના ત્રિ મંદિર પાસે ચાર હજાર સરપંચો એકત્ર થશે. આગામી ગુરૂવારના રોજ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ હાજર રહે તેવી સંભાવનાઓ છે.
મંત્રી બચુ ખાબડની ગેરહાજરીમાં સરપંચ સંમેલન
રાજ્યમાં ગુરૂવારે યોજાનારા સરપંચ સંમેલનમાં રાજ્યના પંચાયત મંત્રી બચુ ખાબડ હાજર નહીં રહે તેવી શક્યતાઓ છે. દાહોદ ખાતેના મનરેગા કૌભાંડ બાદ બચુ ખાબડ સચિવાલય અને કેબિનેટની બેઠકમાં સતત ગેરહાજર જોવા મળ્યાં છે. આ કૌભાંડમાં તેમના બંને પુત્રો જેલ હવાલો હોવાથી મંત્રી બચુ ખાબડની વડાપ્રધાનના દાહોદ ખાતેના કાર્યક્રમમાં પણ બાદબાકી કરવામાં આવી હતી.