LIVE TVબ્રેકીંગ ન્યુઝરાજ્ય
કોળી સમાજના ધર્મગુરુ જગુબાપુ દ્વારા વિર માંધાતા સંગઠનના અધ્યક્ષ રાજુભાઈ સોલંકી સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી.

ભાવનગર પાનવાડી ખાતે કોળી સમાજના ધર્મગુરુ જગુબાપુ દ્વારા વિર માંધાતા સંગઠનના અધ્યક્ષ રાજુભાઈ સોલંકી સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી.
ભાવનગરના પાનવાડી ખાતે આવેલ વિર માંધાતા સંગઠન કાર્યાલય ખાતે ચેતન સમાધી ખડખડ અને કોળી સમાજના ધર્મગુરુ જગુ બાપુએ વિર માંધાતા સંગઠનના અધ્યક્ષ રાજુભાઈ સોલંકીની શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન વીર માંધાતા સંગઠનના અધ્યક્ષ રાજુભાઈ સોલંકી દ્વારા બાપુનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ.
આ તકે ચેતન સમાધિ અને કોળી સમાજના ધર્મગુરૂ જગુબાપુ દ્વારા રાજુભાઈ સોલંકીને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમજ સામાજિક પ્રગતિ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા