મોદીની સાચી સરનેમ મોદી નથી: સુપ્રીમમાં દલીલ
શા માટે ફકત ભાજપના જ ‘મોદીની માનહાની થઈ? તે પણ આશ્ચર્ય: દલીલ

નવી દિલ્હી: આજે રાહુલ ગાંધીની બે વર્ષની જેલ સજા સામે સ્ટે આપતા સમયે સર્વોચ્ચ અદાલતે એક તરફ શા માટે બે વર્ષની ‘મહતમ’ જેલ સજા ફટકારાઈ તે પ્રશ્ર્નની સાથે લોકપ્રતિનિધિત્વ ધારા હેઠળની અગત્યતાનો મુદો પણ ચર્ચામાં સામેલ કર્યો હતો. આ અગાઉ રાહુલ ગાંધી વતી સીનીયર ધારાશાસ્ત્રી શ્રી અભિષેક મનુ સિંધવીએ દલીલ કરતા કહ્યું કે ફરિયાદી પુર્ણેશ મોદીની સાચી અટક મોદી નથી તેઓએ બાદમાં તે અટક અપનાવી છે.
ભાષણોમાં જો કોઈ ગાંધીનું નામ લે તો તેની સામે કેસ કરી શકાય નહી. કારણ કે મોદી સમુદાય 13 કરોડ લોકોનો અને નાના નાના સમુદાયોના બનેલા છે. તેમાં કોઈ એક સમાજના પણ નથી અને જે લોકો રાહુલ ગાંધીના ભાષણ સામે આક્રોશ વ્યક્ત કરે છે તે તમામ ભાજપના કાર્યાલયમાંથી થાય છે તે આશ્ચર્ય છે. સર્વોચ્ચ અદાલતના ત્રણ જજોની ખંડપીઠે શ્રી સિંધવીને ખાસ તાકીદ કરી કે હાલ સજા પર ‘સ્ટે’ની તમો માંગણી કરી રહ્યા છો તો એ શા માટે જરૂરી છે તે તમારે સાબીત કરવું પડશે. બાકી સજા રદ કરવાની વાત તો સામાન્ય અપીલથી જ થઈ શકે છે.
લગભગ ત્રણ કલાક સુધી આ અંગે દલીલો ચાલુ હતી. સિંધવીએ કહ્યું કે રાહુલનો અપરાધ કોઈ ગંભીર નથી. ભાજપના કાર્યકર્તાઓએ અનેક કેસ દાખલ કર્યા છે પણ એક સિવાય કોઈ કેસમાં સજા થઈ નથી. રાહુલના વિધાનથી મોદી સમુદાય પુરો નથી. ફકત ભાજપના નેતાઓ જ ખફા છે. આ એક ગંભીર બાબત છે. કારણ કે એક વ્યક્તિ સંસદના સંબંધોથી મને ચુંટણી લડવા પર ગેરલાયક ઠરે છે.
રાહુલ ગાંધી અંગે હાઈકોર્ટમાં આવી દલીલો પુરી થયા બાદ 66 દિવસ સુધી ચુકાદો મુલત્વી રખાયો અને મે માસનો ચુકાદો છે કે જુલાઈમાં યોજાશે અને છતા ચુંટણી પંચે હજુ વાયનાડની ખાલી થયેલી બેઠક પર પેટાચુંટણીનું જાહેરનામું બહાર પાડયુ નથી. કારણ કે તેઓના જીતના ચાન્સ ખુબજ ઓછા છે. જો કે સુપ્રીમ કોર્ટે તેમની દલીલોમાં કોઈ રાજકીય દલીલો નહી કરવા તાકીદ કરી હતી.
શ્રી સિંધવીએ કહ્યું કે, આ કેસમાં તેઓએ કોઈ પુરાવા રજુ કર્યા ન હતા. તેમને વોટસએપ પર એક કટીંગ મળ્યું અને તેના પરથી ફરિયાદ કરી. કટીંગ કોણે મોકલ્યું તે પણ ફરિયાદમાં જણાવ્યું નથી જેથી તે એવીડન્સ એકટ હેઠળ સાબીત થઈ શકે નહી. ઉપરાંત ફરિયાદી હાઈકોર્ટ જાય છે તેથી તે સાક્ષી મેળવી શકે અને તે માટે એક માસનો સમય પણ મળે છે અને પછી સજા આપવામાં આવે છે. પુર્ણેશ મોદી તરફથી સિનીયર ધારાશાસ્ત્રી મહેશ જેઠમલાણી રજુ થયા હતા.
આ સમાચારમાં આપેલી તસ્વીર માત્ર પ્રતીકાત્મક તસવીર છે જેને સમાચાર સાથેકોઈ લેવાદેવા નથી.