Viral Video: ભૂલથી પણ પાણીમાં હળદરવાળા ટ્રેન્ડને ન કરશો ફોલો, થશે નુકસાન

સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે જેના પર હંમેશા કંઇને કંઇ ટ્રેન્ડ થતુ રહે છે હાલમાં એક ટ્રેન્ડ ખુબજ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ ટ્રેન્ડને જબરદસ્ત રીતે ફોલો કરી રહ્યા છે. તમે પણ કદાચ આ વાયરલ ટ્રેન્ડનું સાંભળ્યુ જ હશે.
હાલ સોશિયલ મીડિયા પર એક ખુબ ટ્રેન્ડ છવાયેલો છે. જેને રાત્રે કે તડકામાં પાણીમાં હળદર ઘોળતો વીડિયો અને રીલ્સ અપલોડ કરી રહ્યા છે. આવુ કરીને લોકો એક નવી મુશ્કેલી ઉઠાવી રહ્યા છે.
આવુ અમે નહી પણ જ્યોતિષી અરૂણ કુમારનું કહેવુ છે. જેમણે આ અજીબો ગરીબ ટ્રેન્ડ લઇને ગંભીર ચેતવણી આપી છે. તેમનો દાવો છે કે આમ કરીને તમે ફક્ત નકારાત્મક ઉર્જાને તમારા ઘરમાં પ્રવેશવા નથી આપી રહ્યા, પરંતુ આ ક્રિયા ભૂતોને આમંત્રણ આપવા જેવી પણ છે. જ્યોતિષીનો આ વીડિયો વાયરલ થયા પછી, ઘણા લોકો મૂંઝવણમાં છે કે શું આ ટ્રેન્ડમાં કૂદીને, તેમણે અજાણતાં કોઈ જોખમને આમંત્રણ આપ્યું છે.
જ્યોતિષ વ્યાસ દાવો કરે છે કે પાણીમાં હળદર ભેળવવી એ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી
જ્યોતિષ વ્યાસ દાવો કરે છે કે પાણીમાં હળદર ભેળવવી એ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી, પરંતુ એક તાંત્રિક વિધિ છે. તેમણે પોતાના વીડિયોમાં લોકોને ચેતવણી આપી છે કે ભૂલથી પણ આનો પ્રયાસ ન કરો, કારણ કે તેનાથી તેમના ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે. એટલું જ નહીં, તેઓ ભૂત-પ્રેતનો શિકાર પણ બની શકે છે.
તે કુંડળીને અસર કરશે!
તેમણે કહ્યું કે આવી પ્રવૃત્તિ તમારા જન્મકુંડળીમાં ચંદ્ર અને ગુરુને નબળી બનાવી શકે છે, જે તમારા નસીબ પર ખરાબ અસર કરી શકે છે. તે તમારી માનસિક સ્થિતિને પણ બગાડી શકે છે. જ્યોતિષે દાવો કર્યો હતો કે આ એક સંપૂર્ણપણે હાનિકારક પ્રક્રિયા છે, જે તમારા ઘરમાં આફત લાવી શકે છે. તેથી, આવી બાબતો ટાળવી જોઈએ.
પાણીમાં હળદર ભેળવવાના ટ્રેન્ડ પર જ્યોતિષનો આ ચેતવણી આપતો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે. થોડા કલાકોમાં, તેને 5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે હજારો લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.
હવે યુઝર ચિંતામાં છે કે મે તો વીડિયો બનાવી લીધો હવે શું કરૂ? બીજા યુઝરે લખ્યુ કે કેટલાક ટોટકામાં તો એવુ કહેવામાં આવે છે કે હળદર પાણીમાં નાખવાથી મુશ્કેલી ટળે છે. પાણીમાં હળદર નાખીને નહાવાથી ફાયદો થશે કે નુકસાન
સંદેશ ન્યૂઝ આવા કોઇ વાયરલ વીડિયોની પુષ્ટી કરતુ નથી.