બ્રેકીંગ ન્યુઝ

NCWમાં Rohini Ghavariએ સાંસદ Chandra Shekhar Azad સામે નોંધાવી ફરિયાદ, જાણો મામલો


આઝાદ સમાજ પાર્ટીના નેતા અને નગીના સાંસદ ચંદ્રશેખર આઝાદ ચર્ચામાં આવ્યા છે. તેમના વિરુદ્ધ રોહિણી ધાવરી ગંભીર આરોપ લગાવ્યા છે. રોહિણી ધાવરીએ મહિલા આયોગમાં પોતાની સાથે થયેલી સમસ્યા વર્ણવી છે. અને ચંદ્રશેખર આઝાદ સામે ફરિયાદ નોંધાવી છે. ઉત્તર પ્રદેશમાં આવેલા નગીના લોકસભાના સાંસદ ચંદ્રશેખર આઝાદ વિરુદ્ધ ડૉ. રોહિણી ધાવરી મેદાને ઉતરી છે. અને મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવી છે. NCWએ ફરિયાદ નોંધી છે.

રોહિણી ધાવરીએ કરી ફરિયાદ

લાંબા સમયથી ડૉ. રોહિણી ધાવરી ચંદ્રશેખર આઝાદને લઇને મોટા મોટા દાવાઓ કરી રહી હતી. ડૉ. રોહિણી ધાવરીએ ચંદ્રશેખર આઝાદ સામે ગંભીર આરોપ લાગવ્યા છે. જેના જવાબમાં આઝાદ સમાજ પાર્ટીના નેતાએ કહ્યુ હતુ કે, તેઓ કોર્ટમાં પોતાનો જવાબ આપશે. તો આ તરફ, મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ડૉ. રોહિણી ધાવરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મુકી હતી. અને માહિતી આપી હતી. રસીદની ઇમેજ તેઓએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અને કેપ્શનમાં લખ્યુ હતુ કે, આજથી કાયદાકીય લડત ચાલુ થાય છે. હું મારા સ્વાભિમાન માટે લડીશ. પીછેહટ નહી કરું. સત્ય મેવ જયતે.

ચંદ્રશેખર આઝાદે શું કહ્યુ ?

ચંદ્રશેખર આઝાદે કહ્યુ હતુ કે, હું માત્ર કોર્ટમાં જ જવાબ આપીશ. આ એક મહિલાના સન્માન સાથે જોડાયેલો મામલો છે. તેથી કોર્ટમાં જ સવાલ-જવાબ કરવામાં આવશે. ચંદ્રશેખર આઝાદ માટે આ એક મુશ્કેલ સમય છે. કારણ કે જ્યારે તેઓ 22 જૂનના રોજ બસ્તી પહોંચ્યા હતા. ત્યા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. પત્રકારોએ જ્યારે રોહિણી મામલે પ્રશ્ન પૂછ્યો ત્યારે ચંદ્રશેખર આઝાદે કહ્યુ હતુ કે, આ પાયાવિહોણા સવાલ છે. હું માત્ર કોર્ટમાં જ જવાબ આપીશ. 



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!