Bihar Election 2025: ચિરાગ પાસવાન અને નીતીશ કુમાર વચ્ચેના રાજકીય સંબંધો ચર્ચામાં

ચિરાગ પાસવાને જ્યારથી બિહાર ચૂંટણી લડવા માટે પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે. ત્યારથી બિહારની રાજનીતિમાં હલચલ જોવા મળી રહી છે. પીએમ મોદીના બિહાર પ્રવાસ દરમિયાન ચિરાગ પાસવાન અને નીતિશ કુમારની વાતચીતે વધુ ચર્ચા જગાવી છે. બિહાર ચૂંટણીની તૈયારીઓ દરમિયાન લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ, નીતીશ કુમાર એકબીજા પર કટાક્ષ કરી રહ્યા છે. તો આ તરફ, ચિરાગ પાસવાન પોતાના પત્તા સમય આવતાની સાથે ખોલવાની રાહ જોઇ રહ્યા છે.
પર્દા પાછળની રાજનીતિ
બિહારના સીએમ નીતીશ કુમારે કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાનને બિહાર ચૂંટણી નહી લડવા માટે સલાહ આપી છે. પરંતુ ચિરાગની બિહાર માટેની મહત્ત્વકાંક્ષાઓ વધી રહી છે. તો આ તરફ, જમુઇના સાંસદ અરુણ ભારતીએ પ્રશ્ન કર્યો છે કે શું નીતીશ કુમાર ચિરાગ પાસવાનની મહત્ત્વકાંક્ષાઓથી ડરી ગયા છે.? ચિરાગની કેન્દ્રીય મંત્રી તરીકેની ઓળખ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે યોગ્ય છે. તેઓ વિધાનસભા ચૂંટણી લડે કે નહી તે તેમનો અંગત નિર્ણય છે. પરંતુ બિહારમાં જે રીતે રાજકીય ભૂકંપ સર્જાયો છે. તેને જોતા નીતીશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવની પાર્ટીમાં હલચલ તેજ થઇ છે.
ચિરાગની એન્ટ્રી શું નિશાંત કુમાર માટે પડકાર છે ?
એક તરફ, ચિરાગ પાસવાન બિહાર ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. તો બીજી તરફ, નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમારની રાજનીતિમાં અન્ટ્રી પડકારજનક દેખાઇ રહી છે. કારણે ચિરાગની ફેન ફોલોવિંગ અને તેમના બેંચ માર્ક તેમના માટે મજબૂત પોઇન્ટ સાબિત થઇ શકે છે. તો આ તરફ, નિશાંત કુમાર કે જેઓ નીતીશ કુમારના પુત્ર છે તેઓ હજુ પોતાની રાજનૈતિક પ્રવાસ શરુ કરવા જઇ રહ્યા છે. તેથી પુત્ર માટે પિતા નીતીશ કુમાર ચિરાગ પાસવાનને રોકી રહ્યા હોવાનું રાજનૈતિક નિષ્ણાંતો માની રહ્યા છે. તો આ સાથે નીતીશ કુમાર ચિરાગને રામવિલાસ પાસવાન સાથે પોતાના સંબંધોની યાદ અપાવીને પણ ભાવાત્મક દબાણ વધારી રહ્યા છે. તો બીજી તરફ, ચિરાગ પાસવાને પોતાની વાત પર અડગ રહીને નીતીશ કુમારને કહ્યુ હતુ કે, પાર્ટીનો આદેશ હશે તો તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરશે. અને તેમનો આશિર્વાદ જરુરથી લેશે. હવે સમય બતાવશે કે, કોણ મેદાનમાં ઉતરે છે અને જીતે છે?.