
માલપુર તાલુકામાં આંગણવાડીઓમાં લાલિયાવાડી ચાલતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
માલપુર તાલુકાના રંભોડા ગામે આંગણવાડીમાં દિવસના 12.30 કલાકના સુમારે કોઇ બાળક કે સંચાલિકા હાજર જોવા મળ્યા ના હતા. માત્ર તેડાંગર જ હાજર જોવા મળતા હોવાનો સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયો છે.
આ બાબતે મિડિયાએ તપાસ કરતાં આંગણવાડી ભગવાન ભરોસે ચાલતી હોવાનું જણાઈ આવ્યું હતું. મિડીયાએ પુછપરછ કરતા સંચાલિકા બહેન મિટિંગમાં ગયાં છે એવો રટણ કરેલો જવાબ મળ્યો હતો. જ્યારે બાળકો બાબતે પુછતાં જવાબ આપવાનો ટાળ્યો હતો.
માલપુર તાલુકાની આંગણવાડીઓ બાબતે સરકારી તંત્રએ ઉચ્ચ કક્ષાએથી સરપ્રાઈઝ વિઝીટ કરી શિક્ષાત્મક પગલાં લેવાની તાતી જરૂર છે