LIVE TVરાજકારણ

સાબરકાંઠા બેઠક માં ભારેલો રાજકીય અગ્નિ :ઉમેદવારોની વણઝાર કોને દઝાડશે

હવે પોતાની હાટડી ને વધારે મજબુત કરવા ખાનગી વિરોધ કરાવતા હોય ....

અરવલ્લી :છેલ્લા કેટલાક દિવસો થી ટીકીટ જાહેર થયા પછી રાજકીય રમખાણો એ પાર્ટીમાં તોફાન મચાવી દીધું છે. ભીખાજી ડામોર (ઠાકોર) ટીકીટ જાહેર થતા પહેલા કેટલા મજબુત હતા અને ટીકીટ જાહેર થયા પછી કેટલા મજબુત થયા તેની વાત બેઠક ના રાજકીય વિશ્લેષકો થી લઇ મતદારો સુધી બધા જાણે છે. હાલ ના મોસમ ની જેમ ટીકીટ વાંછુકો ને ટીકીટ ન મળવા ના અસંતોષ થી  ભીખાજી ની મજબૂતી વધી ગઈ હોવાની ચર્ચા એ મોટું જોર પકડ્યું છે. બીજી તરફ કોંગ્રેસ પણ આ બાબતે ઘેલ માં આવી ગઈ છે.

લોકોમાં કેવું ચર્ચાઈ રહ્યું છે :

ભીખાજી ની અચાનક તાકાત કેવીરીતે વધી ?

ભીખાજી ને ટીકીટ મળ્યા પછી પોતાને અનેક પ્રયત્ન કરવા છતાં ટીકીટ ન મળી એટલે બીજા ને ટીકીટ ના મળી જાય તે  અસંતુષ્ટો એ પોતાના માણસો પણ ભીખાજી ના સમર્થન માં ઉતર્યા હોવાની વાતો જોવા મળે છે.તો બીજી તરફ અચાનક ભીખાજી ની ચૂંટણી લડવાની ના થતા પાછા આ કૂપમંદુકો ડ્રાઉં ડ્રાઉં કરી કુદકા મારવા લાગ્યા હતા કે પોતાના ભાગ માં કૈક આવશે, પણ અહી સાબરકાંઠા ની એક પેનલ નો ફુગ્ગો ઉડ્યો અને મહેન્દ્રસિંહ બારિયા ના પત્ની શોભનાબેન ને ટીકીટ નું ફળ પ્રાપ્ત થયું. ત્યારે અહી મને નહીતો તને નહિ એવી કેટલાક લોકોની નીતિ પાર્ટીમાં જાહેર થઇ ગઈ. અને પાર્ટીમાં ખુલ્લે આમ ભડકો જોવા મળ્યો.

હજુ પણ ઉમેદવાર બદલવાની રાહ જુએ છે……

કેટલાક ઉમેદવારો તો પાર્ટીએ ઉમેદવાર નક્કી કર્યો હોવા છતાં હજુ પોતાને ટીકીટ મળે તે માટે આડકતરી રીતે ટોળાશાહી, શોસીયલ મીડિયામાં બીજા ના માથે ….મુકવા જેવી કામગીરી કરતા હોવાનું પાર્ટીના હાઈ કમાંડ ને માહિતી મળી છે.

પોતાના વિષે પ્રચાર કરાવનારા…….

ટીકીટ માટે દિવસ રાત કુદકા મારનાર કેટલાક વ્યક્તિઓએ તો પોતાને ટીકીટ મળવાની શક્યતા થી લઇ લોકોની માંગ તેમને ટીકીટ મળે તેવી છે એવું પોતાના મળતિયાઓ દ્વારા જાહેર કરી પોતાનું પીપુળું વગાડવાનું નાટક કર્યું હતું તે પણ ફ્લોપ શો થયો છે એટલે હવે પોતાની હાટડી ને વધારે મજબુત કરવા ખાનગી વિરોધ કરાવતા હોય તે લોકો માં ચર્ચાય છે.

ભાજપ આગેવાન મંડળ…..

કેટલાક રાજકીય લોક મંડળ માંથી મળેલી માહિતી મુજબ આવા નેતાઓની જાણ કમલમ સુધી પહોચતા તેમને બોલાવી ને કહી દેવામાં આવ્યું છે કે આ એકજ ચૂંટણી નથી આવનારી માટે…….બધાને સમજી જવા જેવું છે. એ ધમકી હતી કે પ્રેમ તેતો નેતાજી ના હાલ ના હાઉભાવ પરથી સ્પષ્ટ થાય છે.

હાલમાં કેવું વાતાવરણ થઇ રહ્યું છે……

વાતાવરણ માં  જેમ મોટા ફેરફાર થઇ રહ્યા છે તેમ રૂપાળા ના વિરોધમાં હવે ક્ષત્રિયો જંગે ચડ્યા છે. સાબરકાંઠા બેઠક માં એક લોકચર્ચા પ્રમાણે અંદરો અંદર ફાળો ઉઘરાવી ૧૦૦ થી વધારે ઉમેદવારો ઉભા રાખવાનું કામ પણ ભાજપ ને હરાવવા થઇ રહ્યું છે. અમારી ટીમ આ બાબતે એક વિશેષ અહેવાલ પ્રકાશિત કરવા તપાસ કરી રહીછે.

અંતમાં ભાજપ માં ભવાડો થશે કે કોંગ્રેસમાં કકળાટ તે રામનવમી પછી ખબર પડશે. બાકી હાલ ના સંજોગોમાં સાબરકાંઠા ને એક જ સવાલ તું સાર આપીશ કે શોભા?….

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Related Articles

Back to top button
error: Content is protected !!