LIVE TVરાજ્ય

ધનસુરા ખાતે ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ ભવ્ય વિસર્જન, કરવામાં આવ્યું

સાત સપ્ટેમ્બર થી ગણેશ ચતુર્થી દિવસથી ૧૭-સપ્ટેમ્બર અનંત ચૌદસ ને મંગળવારના રોજ ૧૦ દિવસ સુધી ગણેશ મહોત્સવની ધામધૂમ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરી ધનસુરા ખાતે રિદ્ધિ સિદ્ધિ દેવ ગજાનંદ” ગણેશ” વિસર્જન શોભાયાત્રા મહોત્સવ ઉજવાયો હતો, આ જાજરમાન શોભા યાત્રા જોગણી માતાજીના મંદિરવાળી ફળીમા દસમા દિવસે-૫૬ અન્નકૂટ ભોગ ધરાવી સુંદર મજાનું રાસ ગરબા સાથે આયોજન કરવામાં આવ્યું હતું અને ગણેશ વિસર્જન જવાહર બજાર ,ફુલબાઈ માતાજી મંદિર, લીમડા ચોક, ફુલાવત ફળી સ્વામિનારાયણ નગર સોસાયટી જેવી શેરીઓમાં અને જાહેર રસ્તાઓ ઉપર પસાર થઈને ટ્રેક્ટર માં ગણપતિજીની મૂર્તિને ખુબ સુંદર મજાના શણગાર સાથે વાજતે ગાજતે ગણપતિ બાપ્પા મોરિયા ના જયધોષ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ પ્રસંગે ધનસુરા ગામના ખૂબ જ વિશાળ મોટી સંખ્યામાં યુવાનો, વડીલો, મહિલાઓ, અને નાના નાનાભૂલકાઓ, જોડાયા હતા અને ધનસુરા ગ્રામ પંચાયત ના સરપંચ,સદસ્યો, સ્ટાફ સહિત હાજર રહી ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ વિસર્જનના અંતિમ દિવસે ક્રેન તેમજ તરવૈયાઓને સાથે રાખી અમૃત સરોવર ખાતે રિધ્ધી સિદ્ધિ ગજાનંદ ગણેશજીની મૂર્તિનું વિસર્જન, કરી ભાવવિભોર થઈ ભક્તોએ ગણપતિ બાપ્પા ને વિદાય આપી હતી આ પંચાયત દ્વારા કરવામાં આવેલી પહેલ અને સુંદર મજાની શ્રેષ્ઠ ઉત્તમ જીવ દયા પ્રેમ અને લાગણીની કામગીરીને સૌ ઉપસ્થિત  ભક્તો અને તમામ ગ્રામજનો એ ધન્ય્તા અનુભવિ  હતી…..

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Related Articles

Back to top button
error: Content is protected !!