LIVE TVરાજ્ય

*બાયડના 21 વર્ષીય યુવાનની લાશ શામળાજી નજીક અણસોલ પુલ નીચેથી મળી આવતાં અનેક શંકા કુશંકાઓ*

લગ્ન ફુલહાર વિધીમાં શામળાજી ગયેલા યુવકનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી હોવાનો પરીવારજનોનો આક્ષેપ

 

 

 

 

*શામળાજી પોલીસે ગુનો નોંધી વધુ ઊંડી તપાસ હાથ ધરી*

અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આવેલ અણશોલ પુલના નીચેના પટ પરથી શંકાસ્પદ હાલતમાં 21 વર્ષીય યુવાનની લાશ મળી આવી છે
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે આ યુવાન અરવલ્લી જિલ્લાના બાયડનો વતની છે
શામળાજી ખાતે રાખેલ ગાયત્રી મંદિરમાં લગ્ન ફૂલહાર વિધિમાં બાયડથી વ્યક્તિઓ શામળાજી મંદિર ખાતે ગયા હતા તે સમય દરમિયાન બાયડનો 21 વર્ષનું યુવાન જયેશ જગદીશ ભાઈ વણકર જેનું અસમાજિક તત્વો દ્વારા અપહરણ કરવામાં આવ્યું
ત્યારબાદ શામળાજી પોલીસ સ્ટેશન ખાતે પરિવારજનો દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ,
અનેક શોધ ખોળ કરતા શામળાજી પાસે આવેલ અણશોલ પુલ નીચેથી જયેશ વણકરની લાશ ગંભીર ઇજાઓ સાથે મળી આવી છે
શામળાજી પોલીસે ડોગ સ્કોડ સાથે… સમાજના આગેવાનોની સાથે રાખીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
સમાજના આગેવાનો તેમજ પરિવારજનોની એક જ માંગ છે જેમ બને તેમ વહેલી તકે હત્યારાઓને શોધીને કડકમાં કડક સજા કરવામાં આવે…. જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી ડેટ બોડીનો સ્વીકાર કરવામાં આવશે નહીં તેવું સમાજના અગ્રણીઓ , પરિવારજનોએ જણાવ્યું હતું
વારંવાર શામળાજી રતનપુર બોડર વચ્ચે અનેક યુવાનોને ટાર્ગેટ બનાવી લૂંટ ચલાવી તેમની હત્યા કરવામાં આવે છે
આવા આતંકવાદીઓને શોધીને જેલના સળિયા પાસે ધકેલી દેવા પોલીસ તંત્રને માંગ કરવામાં આવે છે

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Related Articles

Back to top button
error: Content is protected !!