
અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલ મધુરમ સ્વીટ્સમાંથી એક ગ્રાહકે સક્કરપાર ખરીદ્યા હતા,આ શક્કરપારા વાસી અને અંત્યત દુર્ગંધ મારતા હોવાની ફરિયાદ ઉઠી હતી,મીડિયામાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ બાદ,ફ્રુડ એન્ડ ડ્રગ્સ અને મોડાસા નગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમે મધુરમ સ્વીટ્સમાંથી સંયુક્ત દરોડા પાડી ચેકીંગ હાથ ધર્યું હતું,ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ખાદ્ય ચીજ વસ્તુના સેમ્પલ લઈ પરીક્ષણમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી,ગ્રાહકોને પધરાવવામાં આવતી ભેળસેળ યુક્ત વાનગી ઓના કારણે,લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે,ત્યારે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે,આવી વાનગીઓ જ્યારે કોઈ દુકાનદાર પધરાવે તો તુરંત સંબધિત વિભાગ ને જાણ કરે તેવી અપીલ કરવામાં આવી હતી.