
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સાબરકાંઠા અરવલ્લીનો અભ્યાસ વર્ગ શામળાજી મુકામે યોજાયો જેમાં કાકાયઁક્રતાનુ ઘડતર તથા સંગઠનનો વ્યાપ વધારવા આગામી યોજનાની ચર્ચા કરવામાં આવી , જેમાં હનુમાન ચાલીસા કેન્દ્ર (HDO), હિન્દુ હેલ્પ લાઈન ,ઇન્ડિયા હેલ્થ લાઈન , (મેડિકલ કેમ્પ), એક મુઠ્ઠી અનાજ વિતરણ , બચ્ચે હી આગે, ઓમ શ્રી પરિવાર , મહિલાઓ સુરક્ષા વગેરે વિષયો પર આગામી રણનીતિ તૈયાર કરવામાં આવી..જેમાં તલોદ , પ્રાંતિજ, હિંમતનગર , ઇડર , ખેડબ્રહ્મા, પોશીના, ભિલોડા, વિજયનગર , શામળાજી,મોડાસા , માલપુર , મેઘરજ , બાયડ, સાઠંબાના કાર્યકર્તાઓ આજની બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા
જેમાં પરમ પૂજ્ય ડો ગૌરાંગશરણદેવચાર્યજી મહારાજ , કેન્દ્રિય મંત્રી માલાબેન રાવલ, પ્રાંત મત્રી જયંતીભાઈ પટેલ , સાબરકાંઠા જિલ્લા કાર્યાધ્યક્ષ નારાયણભાઈ શર્મા , અરવલ્લી જિલ્લા પ્રમુખ રામભાઇ પટેલ , દેવરાજભાઈ દેસાઈ અરવલ્લી જિલ્લા મંત્રી, સ્વરૂપભાઈ ગોયલ, અતુલભાઈમકવાણા જિલ્લામંત્રી સાબરકાંઠા AHP, કનકસિંહ ઝાલા રાષ્ટ્રીય બજરંગ દલ પ્રમુખ સાબરકાંઠા RBD, પ્રિયાંકભાઈ પટેલ રાષ્ટ્રીય બજરંગ દલ પ્રમુખ અરવલ્લી RBD તથા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
*ડો પ્રવિણભાઇ તોગડિયાજી ના પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ હિન્દુ હેલ્પ લાઇન ( HHL) એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, જેમાં આખા ભારત દેશમાં હિન્દુ ને જરૂર પડે ત્યારે ૦૨૦-૬૬૮૦૩૩૦૦ નંબર જાહેર કરવામાં આવ્યો જેમાં કોઈ પણ આ નંબર પર કોલ કરવાથી હિન્દુને મદદ મળી શકે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી
ત્યાર બાદ અરવલ્લી જિલ્લામાં ત્રિશૂલ દીક્ષાના કાર્યક્ર્મ પણ કરવામાં આવ્યો. શામળાજી ખાતે કાર્યક્રમ યોજાયો હતો.