
બાયડ તાલુકાના વાત્રક ખાતે આવેલ બેલાબેન પટેલ આઈ હોસ્પિટલના કેમ્પસમાં
આજરોજ માનસિક સારવાર કેન્દ્રનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું
આ ભૂમિ પૂજન સ્વ.
રસિકભાઈ મણીલાલ શાહના
ધર્મપત્ની કુસુમબેન મુળ રહે. સાઠંબા હાલ
રહે .અમેરિકા દ્વારા કરવામાં
આવ્યું હતુ
.સ્વ. રસિકભાઈ મણીલાલ શાહ તથા તેમના ધર્મપત્ની કુસુમબેનના પરિવાર દ્વારા માનસિક સારવાર કેન્દ્ર માટે 8.50 કરોડ રૂપિયાનું માતબર દાન આપવામાં
આવ્યું હતું .
આ માનસિક સારવાર કેન્દ્ર માટે કે કે શાહ ટ્રસ્ટ દ્વારા જમીન આપવામાં આવી હતી.
સ્વ. રસિક્ભાઈ મણીલાલ શાહનું
સંકલ્પ હતો કે તે એક માનસિક સારવાર કેન્દ્ર શરૂ કરાવે
આ ભગીરથ કાર્ય માટે એસવીટીના મેમ્બરો તથા સમતા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ, અંધજન મંડળ વસ્ત્રાપુર તથા રસિકભાઈ નું સપનું તેમના ધર્મપત્ની કુસુમબેન તથા તેમનો પુત્ર અને પરિવારના સૌ સદસ્યો દ્વારા પૂરું કરવામાં આવ્યું હતું.
આ માનસિક સારવાર કેન્દ્રના ભુમિપુજન પ્રસંગે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.