
અરવલ્લી મોડાસા બાળરોગ નિષ્ણાત તબીબ ડૉ. વિરલ કવિ વિરૃદ્ધ આરોગ્ય વિભાગે તપાસના આદેશ મોડાસા THO ને સોંપ્યા છે ત્યારે મોડાસા તાલુકાના ઉમેદપુર દધાલિયા ગામની 11 વર્ષની દીકરીના મોત બાદ દીકરીના પિતા બિપિન પટેલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી લઇ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી હતી જેને લઇ તપાસ શરૂ થઈ છે.જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા એક ટીમ બનાવી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરતાં લેભાગુ મેડિકલ માફિયાઓમાં ખરભરાટ મચી જવા પામ્યો છે
.બિપિન પટેલ દ્વારા કમવામાં આવેલી લેખિત ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે મોડાસાના ડૉ.વિરલ કવિ અને અન્ય બાળકોના તબીબો દ્વારા માત્ર અમદાવાદની ડીવાઈન હોસ્પિટલ માંજ દર્દીઓને મોકલવામાં આવે છે અને ડીવાઈન હોસ્પિટલના તબીબ ડૉ.હાર્દિક પટેલ બાળકોના માતા પિતા ને ડરાવી લાખ્ખો રૂપિયા પણ ખંખેરી લેછે જેને લઇ તેની સામે યોગ્ય તપાસ થાય તો સમગ્ર ખેલ સામે આવે તેમ છે.ઉમેદપુર ની 11 વર્ષની દીકરીનું મોત કુદરતી નહિ પરંતુ મેડિકલ મર્ડર કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
જેને લઇને બંને તબીબો શંકાના દાયરામાં ઘેરાયા છે સાથે જિલ્લાના માતા પિતામાં પણ ખરભરાટ મચ્યો છે.આરોગ્ય વિભાગે આરંભેલી તપાસમાં દર્દીઓ પર લેવામાં આવતા કમિશન અને 11 વર્ષની દીકરીના મોત મામલે મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે.સાથેજ તબીબો સામે પણ કાર્યવાહી થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે