
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના તાલોદ ગામ નજીક પેટાપરા હમીરપુરા ગામે ખેતરમાં વરીયાળી લણવા ગયેલા ૬૦ વર્ષીય વૃદ્ધને તૂટેલા વિજતારનો કરંટ લાગતાં ઘટનાસ્થળે મોત નીપજવા પામ્યું હતું. જ્યારે અન્ય એક ૩૫ વર્ષીય શખ્સને વીજતારના કરંટથી ગંભીર ઈજાઓ પહોંચતાં હોસ્પિટલ ભેગો કરાયો છે.તાલોદ વિસ્તારમાં વિજતારથી કરંટ લાગતાં વૃદ્ધનું મોત નીપજ્યાના સમાચાર પ્રસરી જતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઈ ગયા હતા
વધુ પ્રાપ્ત વિગતો મુજબ બાયડ તાલુકાના તાલોદ નજીક આવેલા હમીરપુર ગામના ૬૦ વર્ષીય વૃદ્ધ જગતસિંહ ફતેસિંહ બારીયા અને ૩૫ વર્ષીય અશ્વિનસિંહ બુધસિહ બારીયા ખેતરમાં વરીયાળી લણવા માટે ગયા હતા જ્યાં છેલ્લા કેટલાય દિવસોથી હેવી વિજ લાઈનનો અર્થિંગ વાયર તુટીને નીચે પડેલો હતો જેની જાણ પણ વિજ તંત્રને કરવામાં આવી હતી પરંતુ વિજતંત્ર તરફથી કોઈ જ પગલાં ભરવામાં આવ્યાં ના હતાં તૂટેલા વિજતારને રીપેરીંગ કરવા માટે ખેડૂત દ્વારા વીજ તંત્રને અરજી પણ કરવામાં આવી હતી
છતાં વીજતંત્ર તરફથી કોઈ જ પગલાં ભરવામાં ના આવતાં સોમવારના રોજ ખેતરમાં ગયેલા ૬૦ વર્ષીય બારીયા જગતસિંહ ફતેસિંહને વિજતારનો કરંટ લાગતાં કાળનો કોળિયો બની સ્થળ પર જ મરણ પામ્યા હતા… જ્યારે અશ્વિનસિંહ બુધેસિંહ બારીયાને વિજતારનો કરંટ લાગતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ભેગા કરાયા હતા વિજતારના કરંટથી મોતની ઘટના સામે આવતાં આ વિસ્તારના લોકોમાં વીજતંત્ર સામે ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે.ઘટનાની જાણ થતાં વીજતંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.વિજ કરંટથી મોતની જાણ થતાં સાઠંબા પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી