
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં ગુજરાત પ્રદેશ લઘુમતી શાળા સંચાલક મંડળના ચેરમેન પદે અરવલ્લી જીલ્લાના યુવા અગ્રણી અને શિક્ષણ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા મિર્ઝા પરીવારના સદસ્ય અને ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડના પુર્વ સદસ્ય, ૧૫ મુદ્દા અમલીકરણ સમિતિ (લઘુમતી) ગુજરાત રાજ્યના પુર્વ સદસ્ય એવા સાજીદભાઈ એમ મિર્ઝાની વરણી થતાં આનંદની લાગણી વ્યાપી છે.ચેરમેન પદે વરણી થતાં ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ડાૅ શંકરસિંહ રાણા, ઉપાધ્યક્ષ ધવલસિંહ ઝાલા, મહામંત્રી સંજયભાઈ રાવલ, તથા અન્ય હોદ્દેદારો તથા અરવલ્લી જીલ્લાના શિક્ષણવિદ એમ કે મિર્ઝાએ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી