LIVE TVરાજ્ય

મોડાસા તાલુકાના સરડોઈના કલારત્નનું અતુલ્ય વારસોઆઈડેન્ટિટી એવોર્ડથી સન્માન

મોડાસાના સરડોઈના ભારત સરકારના લોકરત્ન એવોર્ડ વિજેતા મોતીભાઈ ભગવાનભાઈ નાયકનું અતુલ્ય વારસો સંસ્થા દ્વારા આઈડેન્ટીટી એવોર્ડ અર્પણ કરી સન્માન કર્યું હતું. ગુજરાત સરકાર ના એડિશનલ કલેકટર અને મિનિસ્ટરી ઓફ ઇન્ડસ્ટ્રી ના પર્સનલ સેક્રેટરી પ્રદીપસિંહ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને ઓબેડકર ભવન ગાંધીનગર ખાતે આ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. ભારતીય સંસ્કૃતિ ના વારસાની જાળવણી અંતર્ગત મોતીભાઈ નાયકે ભવાઈ લોકનાટ્ય, કઠપૂતળી કલા, વિસરાતી લોક સંસ્કૃતિ ને લુપ્ત થતી બચાવવા માટે આપેલ યોગદાનને લક્ષમાં રાખી સમારંભ ના મુખ્ય અતિથિ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, પ્રસિદ્ધ ચિત્રકાર રમણીકભાઈ ઝાપડિયા, અતુલ્ય વારસોના મેનેજીંગ ટ્રસ્ટી કપિલભાઈ ઠાકર, ડો. અમી ઉપાધ્યાય, સમાજસેવિકા મિત્તલ પટેલ, પ્રા. વિશાલ જોષી સહિતના મહાનુભાવોએ ખેસ, સન્માનપત્ર, એવોર્ડ આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે વિસરાતી જતી ભવાઈ કલા નું લોકવાદ્ય ભૂંગળનું નાયકે વાદન કરી સૌને આવકાર્યા હતા. અતુલ્ય વારસાના શિવશંકર જોષી, રોનકભાઈ રાણા એ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સંસ્થા તરફથી યોજાયેલ સમારોહમાં સૌએ પ્રીતિભોજન કર્યું હતું.

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Related Articles

Back to top button
error: Content is protected !!