
અરવલ્લી, છેલ્લા કેટલાક દિવસ થી ગુજરાત માટે ચર્ચાનો વિષય બની બેઠેલી રાજકોટ બેઠક અને તેના ઉમેદવાર માટે ચૂંટણી નું મોસમ વાતાવરણ ની જેમ પલટા મારતું જોવા મળ્યું છે. તો બીજી તરફ સાબરકાંઠા બેઠક ઉપર અમે ઉમેદવાર ને લઇ ભરેલો અગ્નિ જોવા મળ્યો છે.
હાલ માં સાબરકાંઠા માં પણ રૂપાલા વિરુદ્ધ ઠેર ઠેર ક્ષત્રિયો દ્વારા ભાજપા ના કાર્યકર્તાઓ માટે પ્રવેશબંધી નાબેનરો અને વાતો જોવા મળી છે. રાબરકાંઠા બેઠક માં આશરે ૩૭% જેટલા ક્ષત્રીય મતદાતાઓ જોવા મળે છે. પણ આ વખતે ખુબજ સારી રીતે અને શાંત રીતે વિરોધ કરનારા ક્ષત્રિયો ખરેખર માં આપવાને લાયક છે. તેમને તેમનું અંદોલન ખુબજ શાંતિપૂર્વક રીતે ચલાવ્યું છે. તેમને રાષ્ટ્ર ની સંપત્તિ કે અન્ય ને નુકશાન થાય તેવું કૃત્ય ન કરી ને ખરેખર ક્ષત્રીય ધર્મ નિભાવ્યો છે.
પણ અહી એક મોટી લોકચર્ચા સાંભળવા મળી છે. કે કેટલાક લોકો માત્ર ચૂંટણી ના સમયે ક્ષત્રિયો ને યાદ કરી પોતાની રેલી માંબોલાવે છે. તો તેમના મત થી જીતવા ક્ષત્રીય હોવાનું જણાવી તેમના મતો નો ઉપયોગ કરે છે. આવા નેતાઓ આ વખતે ક્ષત્રિયો ની બાબત માં મગ નું નામ મરી પણ પાડતા નથી. તો શું તેઓ ક્ષત્રીય નથી કે પોતાની પીપુડી વાગતી બંધ થઇ જશે એમ સમજી ખુલી ને ક્ષત્રિયો ની જોડે આવતા નથી.આવનારી ચૂંટણી માટે આવા નેતાઓ ની યાદી પ સાચા ક્ષત્રિયો તૈયાર કરી રહ્યા હોવાની વાતો ચર્ચાય છે. વાસ્તવ માં જે હોય તે ક્ષત્રિયો નો વિષય છે. પણ રાજકીય બાબતો માટે આ વાત ખુબ જ અગત્ય ની છે.
જો કે કોણ નેતાઓ ક્ષત્રિયો ના સંગઠન માં નથી બોલ્યા તે તો તેમના પોતાના સ્વાર્થ ઉપર આધારિત છે. આ બાબતે કેટલાક લોકો મૌની બાબા બની ને જોઈ રહ્યા છે.