
અરવલ્લી, લોકસભા ની ચૂંટણીમાં રૂપાલા ફેક્ટર ની વાતોએ વાતાવરણ બદલ્યું હતું પણ સાબરકાંઠા બેઠક ઉપર ભાજપ ના ઘર ના લોકો જ બખેડો કરી ને બેઠા છે.એક તરફ ભીખાજી ને ટીકીટ આપી નિર્દ કરતા ની સાથે જ ભીખાજી સામે પાર્ટી કાળ ના પ્રમાણ માં વેતરાઈ ગઈ હોઈ તેવો ઘાટ જોવા મળ્યો છે. અચાનક જ ભીખાજી નું કદ મોટું થઈ ગયું. ભલે પડદા પાછળ ટીકીટ માટે લાડ પાડનારા નું કાવતરું હોય કે જે હોય તે પણ ભીખાજી હવે અરવલ્લી માં મોટા ગજા ના માણસો માં લેખાવા લાગ્યા છે. તો બીજી તરફ પાર્ટી એ કોંગ્રેસ માં થી આવેલા પૂર્વ ધારાસભ્ય ની પત્ની શોભનાબેન ન ટીકીટ આપતાં ખટરાગ વધ્યો હતો.
પક્ષ ના કાર્યકર્તાઓ ને પણ હવે ધારાસભ્ય કે સંસદસભ્ય બનવાના અભરખા લાગ્યા છે એટલેતો પક્ષ ના કાર્યકર્તાઓ અપક્ષ બની ને ફોર્મભરી પોતાના શક્તિ પ્રદર્શન કરવા લાગ્યા છે. બીજી તરફ કોન્ગ્રેસ શાંત સ્વરે પોતાની મત બેંક મોટી કરી રહી છે. ભાજપ માં અંદરો અંદર નો કકળાટ મોદી પરિવાર ના મિશન ૪૦૦ નું નાટક કરી નાખે તો નવાઈ જેવું નથી. બીજી તરફ ગુજરાતની ૨૬ સીટો માં આ નાટક ભારે પડીશકે તેમ છે.
તતીખ ૧૬/૪/૨૦૨૪ નારોજ સાબરકાંઠા ના ચૂંટણી અધિકારી ને સંબોધી ને લખાયેલી શોભનાબેન વિરુધ ની અરજી વાઈરલ થઈ છે. આ અરજી માં અરજદારે શોભના બેન ના ફોર્મ માં અનેક ક્ષતિ હોવાની વાત કરી છે. કદાચ કાયદાના કારણે જો શોભના બેન નું ફોર્મ રદ થાય તો ડમી માં ભરેલા ફોર્મ પૈકી કૌશલ્યાકુવરબા નો નંબર ઉમેદવાર તરીકે આવવવાની શક્યતા નકારી શકાય નહિ.
આ સમાચાર લખી રહ્યા છે તે દરમિયાન એવી પણ લોક ચર્ચા જાણવા મળી કે આ ફોર્મ તો ભાજપ ના લીગલ સેલ વાળા એ ચકાસી ને ભરાવ્યા હશેતો ભૂલ કેવીરીતેહોઈ શકે……કે પછી ….ભૂલ સુધારવા ભૂલ કરી….(ટૂંક માં વાચકો સમજી જશે.). જોકે અરજદારે કરેલી અરજી જે પણ વ્યક્તિએ વાઈરલ કરી તે કદાચ બહુ સમજી ને કરી હશે.
જો કે ભાજપ ના આ અંતરીક કકળાટ માં હવે કોનું નસીબ ચાલશે તે ખભર પડી જશે….