
એક અનોખી કહાની માલિક અને ડ્રાઇવર વચ્ચેના પ્રેમની
*માલિકને કોરોના મટી જાય તો બહુચરાજી પગપાળા આવીશ આવી માનતા રાખનાર ડ્રાઈવરે છેલ્લા ત્રણ વર્ષથી પગમાં ચપ્પલ નથી પહેર્યા*
બાયડ નગરમાં એક અનોખી ઘટના સામે આવી છે બાયડ નગરમાં રહેતા ડી.એન.મલેક
(નિવૃત્ત શિક્ષક) ત્રણ વર્ષ પહેલાં કોરોનાની ગંભીર બીમારીમાં સપડાયા હતા જેથી તેમના ડ્રાઈવર જગતસિંહ સોલંકી (રહે.આકોડીયા,તા.બાયડ)એ માનતા રાખી હતી કે મારા
માલીકને જો કોરોના મટી જાય તો હું પગપાળા બહુચરાજી માનતા પુરી કરીશ તેવી માનતા રાખી હતી.
બાયડ ખાતે રહેતા ડી એન મલેકના ત્યાં ડ્રાઈવર તરીકે છેલ્લા ૧૨ વર્ષથી ફરજ બજાવતા જગતસિંહ સબુરસિંહ સોલંકીએ કોરોના સમયગાળા દરમિયાન
ડી.એન.મલેકને કોરોના થતાં એવી માનતા રાખી હતી
ડ્રાઈવર જગતસિંહ છેલ્લા ત્રણ વર્ષથી પગમાં ચંપ્પલ કે બુટ પહેરયા વગર ફરવાની માનતા રાખી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં
શિયાળો, ઉનાળો, ચોમાસુ જેવી ઋતુમાં વગર ચંપલે ફર્યા હતા.
તેઓને એવુ લાગતું જ
ન હતું કે મે ચંપલ પહેર્યા નથી કોઈ દિવસ તેમને પગમાં કાંટા, કપચી પણ વાગવા
લાગી ન હતી. હાલ અત્યારે ગરમીની સિઝનમાં ૪૦થી ૪૨ ડીગ્રી ગરમી પડી રહી છે.
જો આપણે પગે ચંપલ ન પહેર્યા હોય તો આપણને એવું લાગે છે કે પગના તળીયા બળીને ખાખ થઈ જાય છે. ત્યારે જગતસિંહને છેલ્લા ત્રણ વર્ષથી વગર ચંપલે કરતા હતા તેમનું એવું કાંઈ લાગતું ન હતું કે મે ચંપલ પહેર્યા છે કે નહી જેથી આજરોજ જગતસિંહ
(ડ્રાઈવર) ને બાયડ નગરમાં રહેતા મુસ્લિમ પરીવારના ડી.એન.મલેકના ઘરે ફુલોથી
સ્વાગત કરી મો. મીઠું કરીને અભિનંદન પાઠવ્યા હતા. જગતસિંહ (ડ્રાઈવર) ચાલતા
આજ રોજ બહુચરાજી પગપાળા જવા માટે નિકળ્યા હતા. જેથી મુસ્લિમ પરીવારમાં ખુશીની લાગણી જોવા મળી હતી.