
માલપુર તાલુકાના પીપરાણા વિસ્તારમાં કેનાલની નબળી કામગીરી અને ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.
જમણા કાંઠાની કેનાલમાં ગાબડું પડતાં હજારો લિટર પાણીનો વ્યય થયો છે.કેનાલમાં ગાબડું પડતાં કેનાલના કામમાં થયેલો ભ્રષ્ટાચાર ઉઘાડો પડી ગયો છે….!!!ગ્રામીણ વિસ્તારોમાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. ત્યારે અહીં હજારો લિટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. છતાં તંત્રની આંખો ઊઘડતી નથી…!!!!