
તાજેતરમાં જાહેર થયેલા એસએસસી બોર્ડના પરીણામોમાં સાઠંબા ગ્રુપ વિકાસ વિદ્યામંદિર સંકુલના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓએ 85.79 ટકા પરિણામ હાંસલ કરી સાઠંબા ગ્રુપ વિકાસ વિદ્યામંદિર સંકુલને ગૌરવ અપાવ્યું છે.
જ્યારે સાઠંબા ગ્રુપ વિકાસ વિદ્યામંદિર સંકુલના એસએસસી બોર્ડના જાહેર થયેલા પરિણામોમાં 90. 49 ટકા પરિણામ હાંસલ કરી પ્રથમ દસના ક્રમમાં દિકરીઓએ મેદાન મારી અવ્વલ નંબરે રહી છે.
સાઠંબા ગ્રુપ વિકાસ વિદ્યામંદિર સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા બોર્ડ પરિણામોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું નામ રોશન કરવા બદલ તમામ વિદ્યાર્થીઓને આચાર્ય પંકજભાઈ પટેલ અને વિપુલભાઈ પટેલ તથા શિક્ષકો દ્વારા ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.