
*અરવલ્લી : વડાગામ ખાતે માજુમ નદી પર નવીનપુલનું કામકાજ ચાલુ હોવાથી 5 દિવસ માટે વડાગામ એપ્રોચ રોડ બંધ કરવામાં આવ્યો અને અલગ-અલગ જગ્યાએ ડાયવર્ઝન આપવામાં આવ્યા*
ધનસુરા તાલુકાના વડાગામ ખાતે વર્ષો જૂનો પુલ હોવાથી સાઈડમાં નવીનપુલનું કામકાજ ચાલુ હોવાથી દહેગામ-હરસોલ-ધનસુરા રસ્તોને લઈને ચારમાર્ગીયકરણનું કામ હાલ પ્રગતિમાં છે, ત્યારે વડાગામ ખાતે માઝુમ નદી પર નવિનપુલના એપ્રોચ રસ્તાની બાજુમાં કામગીરી કરવાની થતી હોઈ તા.૧૬/૦૫/૨૦૨૪ થી તા. ૨૦/૦૫/૨૦૨૪ સુધી નરોડા-દહેગામ-હરસોલ-ધનસુરા રસ્તો બંધ કરી ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવ્યું, પ્રશસ્તિ પારીક આઈ.એ.એસ. જિલ્લા મેજીસ્ટ્રેટ, અરવલ્લી, મોડાસા દ્વારા ૧૯૫૧ ના મુંબઈ પોલીસ અધિનિયમની કલમ ૩૩(૧)ના ખંડ (ખ) અન્વયે મળેલ સત્તાની રૂએ નરોડા-દહેગામ-હસ્સોલ- ધનસુરા રોડ તા.૧૬/૦૫/૨૦૨૪ના રોજ થી તા.૨૦/૦૫/૨૦૨૪ સુધી વડાગામ ખાતે માઝુમ નદી પર નવિન પુલના એપ્રોચ રસ્તાની બાજુમાં કામગીરી કરવાની થતી હોઈ આ રોડ પરથી પસાર થતા વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો, સમય દરમિયાન નીચે મુજબના વૈકલ્પિક ૨સ્તાઓએ વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા, 1) તલોદ પોલીસ સ્ટેશન (સા.કાં) રોઝડ ગામના રોઝડ ચા૨ ૨સ્તાથી પુંસરી થઈ કિશોરપુરા- લીંભોઈ થઈને મોડાસા તરફ જવા ડાયવર્ઝન આપવા આદેશ અપાયો, 2) રોઝડ પુંસરી થઈ કિશોરપુરા ચોકડી થઈ શીકા ચાર રસ્તા થી ધનસુરા તથા મોડાસા તરફ ડાયવર્ઝન આપવા આદેશ અપાયો, 3) મોડાસા તથા ધનસુરા તરફથી અમદાવાદ તરફ જતા વાહનો માટે બાયડ થઈ તેનપુર-દહેગામ થઈ અમદાવાદ તરફ મોકલવા આદેશ અપાયો, 4) મોડાસા થી અમદાવાદ જતા વાહનોને લીંભોઈ થી કિશોરપુરા-પુંસરી-રોઝડ ચા૨ રસ્તા થી અમદાવાદ તરફ મોકલવા આદેશ અપાયો, 5) શામળાજી તથા મોડાસા તરફથી અમદાવાદ જતા વાહનોને રાજેન્દ્રનગર ચોકડી થી ગાંભોઈ- હિમતનગર થઈને અમદાવાદ/ગાંધીનગર તરફ ડાયવર્ઝન કરી મોકલવા આદેશ અપાયો, વધુમાં, ટ્રાફીક નિયમન થાય તે માટે વોકી ટોકી સેટ સાથે ટ્રાફીકના માણસો મૂકવા જણાવ્યું, તેમજ ટ્રાફીક નિયમન તંત્ર, પોલીસ તંત્રએ સંબંધિત ગ્રામ પંચાયતોનો સહકાર મેળવી ટ્રાફીક નિયમન થાય, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને સદર હંગામી પ્રતિબંધનો સુચારૂ અમલ થાય તે માટે તાત્કાલિક ધોરણે યોગ્ય આયોજન કરવામાં આવ્યું.