LIVE TVરાજ્ય

પાઈલોટ દિવસ નિમિત્તે અરવલ્લી કલેકટરની ઉપસ્થિતિમાં 108 કર્મીઓને ગિફ્ટ, મોમેન્ટો અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા*

*૨૬મી મે, ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ – ૧૦૮ ઉજવે છે “પાઇલોટ દિવસ” જીવન રક્ષક પાઇલોટને ૧૦૮

 

 

 

 

 

*કટીબધ્ધતા, સમર્પણ અને જવાબદારીની સંકિલત ઓળખ એટલે ૧૦૮ સેવાના પાયલોટ*

૧૦૮ ઇમરજ્ન્સી સેવા, ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ અને ગુજરાત સરકારની લોક્ભાગીદારીથી આજે વિશ્વાસ અને ચોક્ક્સાઇનો પયાર્ય બની ગયો છે, જે તમામ પ્રકારની મેડીકલ ઈમરજન્સીને પ્રતિસાદ આપવા કટીબધ્ધ છે. અને સાથે સાથે તેની કામગીરીથી જનમાનસમાં સંપાદિત થયેલો વિશ્વાસ અભુતપુર્વ છે. આ સેવા પોલીસ, ફાયર કે મેડીકલ સંબંધીત ઈમરજન્સી સેવા ૨૪x૭ રાજ્યભરમાં પુરી પાડે છે. આ સેવામાં પાઇલોટ (એમ્બ્યુલન્સ ના ચાલક) પીડીત (દર્દી)ને સત્વરે ઈમરજન્સી સારવારમાં મદદરૂપ થવા માટેની મહત્વની કડી છે. આજનો દિવસ ૧૦૮ સેવા અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસના ઇતિહાસ માં ખુબ જ મહત્વપુર્ણ છે.
૨૬મી મે “પાઇલોટ દિવસ” તરીકે ઊજવાય છે, અને આ દિવસે ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા પાઇલોટની નિ:સ્વાર્થ સેવા બદલ તેમનું સન્માન કરવામાં આવે છે. કોઇપણ કટોકટી સમયે, પ્રત્યેક સેકન્ડ મુલ્યવાન હોય છે. સત્વરે ઈમરજન્સી રીસપોન્સ CPR, ફાયરફાઈટીંગ, એસ્ટ્રીકેશન અને પ્રાથમિક સારવાર મહામુલી માનવ જીદંગી બચાવે છે, ઇ.એમ.ટી ની સાથે સાથે, પીડીતને સલામતીથી હોસ્પિટલ સુધી પહોચાડવા માટે પાઇલોટની ભુમિકા મહત્વની છે. કટોકટીના સમયે, મહામુલી માનવ જીદંગી બચાવવા, બીજા અન્ય ઘટકો પણ મહત્વનાં છે, જેમકે પીડીતને સલામતીથી એવી રીતે પરિવહન કે ખસેડવાં કે જેનાથી તેમને વધુ કોઇપણ ઇજા કે હાનિ પહોચે નહી. સ્થળ પર ઘાયલ કે દર્દીઓના હિતમાં સલામતી અને ચતુરાઇભર્યુ વિવેકપૂર્ણ કાર્ય કરવું પણ એ પાઇલોટનું વિશેષ કાર્ય છે. આજના આ અત્યાધુનિક યુગમાં ૧૦૮ સેવાના પાઇલોટ પણ સુસજ્જ ટેક્નોલોજી અને સ્માર્ટફોનની મદદથી દર્દીને ખુબજ ઝડપથી યોગ્ય હોસ્પિટલ સુધી પહોંચાડે છે. ૨૬મી મે, કટોકટી સમયે, મહામુલી માનવજીદંગી બચાવનારા પાયલેટને સર્મપિત છે કે જેઓ મુશ્કેલભર્યો માર્ગ, માર્ગની પરિસ્થિતિ, સમય, વાતાવરણ અને સ્થળ પરની કપરી પિરિસ્થિતને પહોંચી વળવા સક્ષમ અને કટિબદ્ધ છે, જે આ સેવાને બીજી સેવાઓ કરતાં અલગ પાડે છે.
આ પ્રસંગે શ્રી જશવંત પ્રજાપતિ,ચીફ ઓપરેટીંગ ઓફીસર, ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ-૧૦૮, દ્વારા જણાવેલ કે “૧૦૮ એમ્બ્યુલન્સના ચાલકને. ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસે “પાઇલોટ” નું બિરૂદ આપેલ છે કે જે માત્ર એમ્બ્યુલન્સ ચલાવતો નથી પરંતુ સાથે સાથે ઉચ્ચ કોટીની કટીબધ્ધતા, સમપર્ણની ભાવના અને અનોખી જીવનરક્ષક જવાબદારી પણ અદા કરે છે. તેઓ સત્વરે અને સલામતીથી ઇમરજન્સી ઘટના સ્થળ પર પહોચીને જીવન અને મુત્યુના અંતર વચ્ચે સેતુ બને છે. તેઓ મહામુલી જીવન બચાવવા માટે ઇ.એમ.ટીને પણ

મદદરૂપ થાય છે અને ઇ.એમ.ટીને પડતી અડચણો પણ દુર કરે છે. અમુલ્ય જીવન બચાવતાં તેઓને અનહદ સંતોષ મળે છે,
સન્માન અને એવોર્ડ :-
સમગ્ર ગુજરાતમાંથી દરેક જીલ્લામાં વર્ષ દરમિયાન ઉમદા કામગીરી બદલ ૧૦૮, ખિલખિલાટ, ૧૯૬૨, ૧૦ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું ,મોબાઈલ વેટરનરી યુનિટ, ધન્વંતરિ આરોગ્ય રથ ,આરોગ્ય સંજીવની સેવામાં કાર્યરત પાઇલોટ, કેપ્ટન, તથા ડ્રાઇવરને સન્માનીત કરવામાં આવેલ.
ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ રાજ્યનાં તમામ જીલ્લાંને આવરી લઈ કુલ ૮૦૦ જેટલી અત્યાધુનિક એમ્બ્યુલન્સનાં કાંફલાં સાથે કાર્યરત છે અને ૨૯ ઓગસ્ટ, ૨૦૦૭ થી ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં ૧ કરોડ ૬૧ લાખ (એપ્રિલ ૨૦૨૪ અંતિત) કરતા વધુ ઇમરજન્સીના કિસ્સામાં સેવા પૂરી પાડી છે, અને આ ૧૬ વર્ષથી વધુના સમયગાળામાં ૧૪.૯૭ લાખ કરતાં વધુ લોકોની મહામુલી જીંદગી બચાવી આ સેવાનું એક ઉમદા ઉદાહરણ પુરું પાડેલ છે. ફરજ દરમ્યાન અંગત અને કૌટુંબિક આપદાઓને પણ જાહેર હિતમાં બાજુએ રાખી ફરજ બજાવેલા વિશિષ્ટ કર્મીઓને પણ તેમની કાર્યનિષ્ઠા અને સમર્પણ માટે બિરદાવવામાં આવેલ છે.

 

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Related Articles

Back to top button
error: Content is protected !!