
અરવલ્લી જિલ્લા કલેક્ટરે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લા કચેરીના કેમ્પસમાં છોડ વાવીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે દરેક લોકોએ એક એક છોડ વાવીને ચોક્કસથી એનું જતન કરવું જોઈએ. જેનાથી આપણે આસપાસના વિસ્તારમાં અને આપણા જિલ્લાને વધારે હરિયાળો બનાવી શકીએ.આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર દ્વારા અન્ય કચેરીઓના કર્મચારીઓને એક એક છોડ આપીને તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર જે.કે.જેગોડા,પ્રાંત અધિકારી મોડાસા,મામલતદાર મોડાસા,અન્ય અધિકારીઓ તેમજ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.