
અરવલ્લી જિલ્લા કિસાન મોરચાના પ્રભારી અને ભાજપના આગેવાન હર્ષદ પટેલ સહિત 15 લોકો સામે દસકોઈ તાલુકાના પીરાણા ગામ વડીલોની કબર તોડી નાખવા મામલે પોલીસ ફરિયાદ નોંધાયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
અમદાવાદ જીલ્લાના અસલાલી પોલીસ મથકે સિરાજહુસેન ફતેઅલી સૈયદ રહે. પીરાણા તા.. દસ્ક્રોઈ જી અમદાવાદ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ભાજપના આગેવાન અને અરવલ્લી જીલ્લા કિસાન મોરચાના પ્રભારી હર્ષદ પટેલ સહિત 15 લોકોએ તા. 08/05/2024 ના રોજ પીરાણા ગામે ઈમામશા બાવા સેવા સંસ્થાની કબરોને નુકસાન પહોંચાડ્યાના ફોટા વાૅટ્સ એપ ગ્રુપમાં આવતાં ફરિયાદીએ સ્થળ પર જઇ તપાસ કરતાં ત્યાં જઈ તપાસ કરતાં ત્યાં માથાકુટ ચાલુ હતી.
હર્ષદભાઈ જશવંતભાઈ પટેલ તેમની આગેવાનીમાં 100 થઈ 110 માણસોના ટોળા સાથે હથિયારો લઈ ફરિયાદીના ધર્મસ્થાનને નુકસાન પહોંચાડી ધાર્મિક લાગણી દુભાવવા જેવું ક્રુત્ય કરવા બદલ જુથ અથડામણ સર્જાતાં મુખ્ય આરોપી તરીકે અરવલ્લી જીલ્લાના ભાજપ કિસાન મોરચાના પ્રભારી હર્ષદ જશવંતભાઈ પટેલ સહિત 15 લોકો સામે ફરિયાદ નોંધાતાં હર્ષદ પટેલ છેલ્લા એક મહિનાથી ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય આરોપીઓ…..
(1) હર્ષદભાઇ જસવંતભાઇ પટેલ
ગામ, પાલડી કનકા,
તા. દસક્રોઇ,જી. અમદાવાદગ્રામ્ય,
રહે, મોટોલાટ, પાલડી કાંકજ તા.દસ્ક્રોઇ જી.અમદાવાદ .
(2) વિનુભાઇ પટેલ
(3) સંદિપભાઇ શાંતીલાલ પટેલ
(4) શાંતીલાલ પટેલ
(5) રમેશભાઇ પટેલ
(6) પિન્ટુભાઇ પટેલ
(7) અમીતભાઇ જાદવજીભાઇ ગજજર
(8) પુજનભાઇ ચંદ્રકાંતભાઇ પટેલ
(9) ચેતનભાઇ કાંતીભાઇ પટેલ
(10) કિરીટભાઇ ઇશ્વરભાઇ પટેલ
(11) રણવિજય
(12 સચીન
(13) મયુર વકીલ
(14) અજય
(15) અજાણ્યું
આ કેસની અંદર 143,147,148,149,307,153A,323,324,506(2), 427,295A,505(1)b,501(1)c અને 120b કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે