
બાયડ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી દિપેશ્વરીધામ જુના ઉંટરડા ખાતે જ્યેષ્ઠ પુર્ણિમાના પાવન અવસરે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.
જ્યેષ્ઠ પુર્ણિમાના પાવન અવસરે અહીં શ્રી દિપેશ્વરીધામ જુના ઉંટરડા ખાતે ભક્તો મોટી સંખ્યામાં દર્શન લ્હાવો લેવા ઉમટી પડતાં હોવાથી કાળઝાળ ગરમીના કારણે શ્રી દિપેશ્વરીધામ સેવા સમિતિ દ્વારા ઠેરઠેર પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. દર્શન કરવા આવતા ભક્તો માટે અહીં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.