
અરવલ્લીની ગિરિમાળામાં શોભતા મોડાસા તાલુકાના વરથું ગામનાં ડુંગર પર બિરાજમાન શ્રી મહાકાળી માતાજીના ભવ્ય નવા મંદિરનું ખાત મુહૂર્ત ગામના સદગૃહસ્થ પટેલ સદાભાઇ ગલબાભાઈના યજમાન પદે ઉમંગભેર કરવામાં આવ્યું હતું.
જેમાં સમગ્ર ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અહીં ભવ્ય મંદિર નિર્માણ પૂરું થતાં જ ઉચા ડુંગર અને પ્રાકૃતિક માહોલમાં માઈ ભક્તો
અલૌકિક આનંદની અનુભૂતિ કરશે.