
અરવલ્લી જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આગ લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે.
બાયડ તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં ડાભા ગામ નજીક આવેલા દોલપુર ગામમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં ખેડૂતને મોટું નુકસાન વેચવાનો વારો આવ્યો છે.
ક્યાંકને ક્યાંક થાંભલા પર ઝુલતા વિજ તાર આના માટે જવાબદાર હોય તેમ જણાઈ આવે છે જીલ્લામાં ઘણી જગ્યાએ થાંભલા ઉપર ઝુલતા વિજતાર એકબીજાની અડકી જતાં શોર્ટ સર્કિટ સર્જાય છે…!!!
બાયડ તાલુકાના ડાભા નજીક દોલપુર ગામે પણ કંઈક આવું જ બન્યું હતું સોમવારે રાત્રીના સમયગાળા દરમિયાન થાંભલા પર સોર્ટ સર્કિટ સર્જાતાં તણખલા થયા હોય શકે છે… કે કોઈ અન્ય કારણોસર નજીકમાં આવેલા દેસાઈ ચેહરભાઈના ઘાસચારામાં લાગી જતાં તેમાં આગ ફાટી નીકળતાં ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો સાથે સાથે ચેહરભાઈ દેસાઈના ઘરમાં પણ આગ ફરી વળતાં ચેહરભાઈ દેસાઈના ઘરમાં તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી ચેહરભાઈ દેસાઈને લાખોનું નુકસાન થયું હતું.
આગ લાગ્યાની જાણ થતાં આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા.
બાયડ નગરપાલિકાના ફાયર બ્રિગેડને પણ બોલાવવામાં આવ્યું હતું ત્યારે આગ પર કાબુ મેળવાયો હતો.
ડાભા નજીક દોલપુર ગામે મકાનમાં અચાનક આગની ઘટના ઘટતાં મકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા ઉડતા નજરે પડતાં આસપાસના અને ગામમાંથી રહેશો દોડી આવ્યા હતા જેથી કોઈ જાનહાની થવા પામી ન હતી જોકે હજી આગ લાગવાનું કારણ અકબંધ છે.