LIVE TVરાજ્ય

બાયડ તાલુકાના ઝાંઝરી ધોધ પર સહેલાણીઓના પ્રવેશ પર 31 ઓગસ્ટ સુધી વહીવટી તંત્રએ પ્રતિબંધ લંબાવ્યો*

અરવલ્લી જિલ્લાના મુકામ ડાભા, તા. બાયડ ખાતે જાણીતુ પ્રવાસન સ્થળ ઝાંઝરી ધોધ આવેલ છે.
છેલ્લા ૨૫ વર્ષમાં સદર ઝાંઝરી ધોધ, વાત્રક નદીના પાણીના ધરામાં અકસ્માતે લપસી ડુબી જવાના, તણાઈ જવાના, પથ્થરની શીલાઓ પરના પાણી પર જામેલ લીલના કારણે લપસી પથ્થર પર પટકાઈને મૃત્યુ થવાના ભુતકાળમાં ઘણા બનાવો બનેલ છે. આવી ઘટનાઓ બનતી અટકાવવા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે. ધોધના/નદીના પાણીમાં પડી ન્હાવા જવા પર નિષેધ હોવાની સૂચનાઓના બોર્ડ પણ લગાવવામાં આવેલ છે. તેમ છતાં સાબરકાંઠા, અમદાવાદ, વડોદરા, ખેડા વિગેરે જિલ્લામાંથી આવતા પ્રવાસીઓ/સહેલાણીઓ આ સુચનાઓનો અનાદર કરી ઝાંઝરી ધોધ ખાતેના પાણીમાં ન્હાવા પડી અકસ્માતે ડૂબીને જીવ ગુમાવવાના સંખ્યાબંધ બનાવો તાજેતરના વર્ષોમાં બનેલ છે.
જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તથા પ્રવાસીઓ/સહેલાણીઓની સલામતી જળવાઈ રહે તે હેતુ માટે વાત્રક નદીના આશરે ૫ કિ.મીના લાંબા પ્રવાહમાર્ગ (જીતપુર-આંબલીયારા પ્રવેશ માર્ગ-૧ પાસે આવેલ ઝાંઝરી ધોધ થી લઈ ગંગેશ્વર મહાદેવવાળા પ્રવેશ માર્ગ-૩ ચેક ડેમ સુધી)ના નદીના પ્રવાહ માર્ગની આજુ-બાજુ વાત્રક નદી/ઝાંઝરી ધોધના કિનારે જઈ પાણીમાં પડવા ન્હાવા કે નદી કિનારે આવેલ શીલાઓ પર કે જ્યાંથી ફોટોગ્રાફી કરવા જતા અકસ્માતે પગ લપસી જવાથી ઝાંઝરી ધોધના ઊંડા પાણીના ધરા કે પ્રવાહમાં ડૂબી જવા કે પથ્થરની શીલાઓ પર પટકાઈ ઈજા થવા અને મૃત્યુ થવાની સંભાવાના રહેલી હોઈ વાત્રક નદીના આશરે ૫ કિ.મી લાંબા પ્રવાહ માર્ગ જીતપુર-આંબલીયારા પ્રવેશ માર્ગ-૧ પાસે આવેલ ઝાંઝરી ધોધ થી લઈ ગંગેશ્વર મહાદેવવાળા પ્રવેશ માર્ગ-૩ ચેક ડેમ સુધીના વિસ્તારમાં સહેલાણીઓ/પ્રવાસીઓના ન્હાવા/પાણીમાં ઉતરવા/બિલકુલ નદી કિનારે આવેલ કોતરો પર ઉભા રહી ફોટોગ્રાફ કરવા પર પ્રતિબંધ મુકવા જાહેરનામુ 31 ઓગસ્ટ 2024 સુધી લંબાવવામાં આવ્યું છે.

 

 

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Related Articles

Back to top button
error: Content is protected !!