LIVE TVવેપાર

સાબર ડેરીમાં કોણ છે? …………ચોર છે શું ખરેખર આ નારો સાચો હશે!!!!

છેલ્લા કેટલાક સમય થી અરવલ્લી-સાબરકાંઠા ની જીવાદોરી સમાન સાબર ડેરી ને ભ્રષ્ટાચાર ની ગંદકી આભડી હોવાની ચર્ચા

અમદાવાદ, જો આમ તો ખાસ કહીએ તો ઉત્તર ગુજરાત માં અરવલ્લી અને સાબરકાંઠા ની જીવાદોરી સમાન સૌથી મોટું ખેડૂત હિતલક્ષી અને પશુપાલક ના હિત કરનારું એકમ એટલે સાબર ડેરી. અનેક નાગરિકો માટે રોજગારનો વિકલ્પ અને સહકાર થી વિકાસ ના પંથ ઉપર બંને જીલ્લા ને મજબુત કરનારા આ એકમ ને જાણે ભ્રષ્ટાચાર નો એરુ આભડી ગયો હોય તેવી ચર્ચાઓ લોકો અને કેટલાક સોશિયલ મીડિયા ના માધ્યમ માં ફરતી થઈ છે. મળેલી માહિતી મુજબ ડેરી ના કેટલાક હોદ્દેદારો એ અનેક લોકો ના વિશ્વાસ ને તોડ્યા ની ચર્ચો જગજાહેર થઇ છે.

થોડાક સમય પહેલા કોઈ આગેવાને આ બાબતે મોરચો સંભાળ્યો હતો પણ વજન આવી જતાં આગેવાન તરફથી પણ ઉડતા લીરા ઠપ થઈ ગયા હતા.

લોકો ના મુખે તો એવી પણ ચર્ચા ચાલી રહી છે કે થોડાક સમય પહેલા કોઈ આગેવાને આ બાબતે મોરચો સંભાળ્યો હતો પણ વજન આવી જતાં આગેવાન તરફથી પણ ઉડતા લીરા ઠપ થઈ ગયા હતા. અને આ વજન નાની રકમ નું નહિ પણ મોટી રકમ નું હોવાનું કેટલાક અસંતુષ્ટ સહકારી આગેવાનો ગણગણાટ કરતા હોવાનું ચર્ચાની એરણે  છે. પણ લોકો  ની ચર્ચા ને આપણે માત્ર વાસ્તવિકતા  ની ખબર પડે તે હેતુ થી અહી પ્રકાશિત કરવાનું વિચાર્યું છે.

પીન થી લઇ દાણ ના કોથળાઓ સુધી કોથળાઓ માં વહેવાર થાય  છે

વિગતે સમજીએ તો અનેક પશુપાલકો  ની જીવાદોરી સમાન અરવલ્લી અને સાબરકાંઠા ના આ એકમ માં ભરતી માં મામકાઓ ને લગાવી ખરેખર જરૂરિયાત વાળા વ્યક્તઓ સાથે મોટો અન્યાય કર્યો હોવાનું જોવા મળી રહયુ છે. તો બીજી તરફ કેટલાક લોકો નામ ના લેવાની શરતો માં જણાવે છે કે અહી સ્ટેપલર ની પીન થી લઇ દાણ ના કોથળાઓ સુધી કોથળાઓ માં વહેવાર થાય  છે. એટલે અહી હોદ્દેદારો પણ દૂધ ની મલાઈ ખાઈ જાય છે.  અને તાજામાજા રહે છે. પણ ભરતીમાં લાખો નો વહીવટ અને ખરીદીમાં કરોડો નો વહીવટ આમ તો સમજવો બહુ જરૂરી છે કારણકે આખીય વાત ખેડૂત અને પશુપાલકો માટે બનાવેલી સંસ્થાની છે. જેમાં મુથ્થીભર તત્વો મળી ખાઈ રહ્યા છે.

શું ખરેખર શામળભાઈ, ભોગીલાલ કે જેઠાભાઈ  ભ્રષ્ટાચાર કરતા હશે કે નહિ

હમણા એક સોશિયલ મેડિયા પ્લેટફોર્મ ઉપર તો કેટલાક હોદ્દેદારો શામળભાઈ, ભોગીલાલ અને જેઠાલાલ ના નામ જોગ ભ્રષ્ટાચાર કર્યો હોવાની બાબતો ચમકાવી છે. પણ શું ખરેખર શામળભાઈ, ભોગીલાલ કે જેઠાભાઈ  ભ્રષ્ટાચાર કરતા હશે કે નહિ? જો આ લોકો ભ્રષ્ટાચાર ન કરતા હોય તો તેમને પોતાની કોરી સ્લેટની માહિતી જનતા સમક્ષ રજુ કરવી જોઈએ. અને જો તેઓ આ વસ્તુ ખરેખર પુરવાર ન કરે તો તેઓ પણ સામેલ છે તેવું જનતા માટે માનવા જોગ કારણ બની શકે છે. જો કે જનતામાં એક નવું સૂત્ર ઉમેરાયા ની ચર્ચાઓ માં સૂત્ર જનતાએ જાણવા જેવું લાગી રહ્યું છે. ” સાબર ડેરી માં કોણ છે?…………છે.  જો કે અમારી ટીમ આ બાબતે વાસ્તવિક સત્ય હકીકતો વાચકો સમક્ષ મુકવા માટે પ્રયત્ન કરી રહી છે અને ખરેખર શું શામળભાઈ, ભોગીલાલ કે જેઠાલાલ આ કંદ માંસમેલ્છે કે કેમ તે અવશ્ય વાચકો સુધી પહોચાડીશું.

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Related Articles

Back to top button
error: Content is protected !!